મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા ઉમા હોલ ખાતે યોજાયો “નમો ડાયરો”


SHARE











મોરબી જીલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા ઉમા હોલ ખાતે યોજાયો “નમો ડાયરો”

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ ઉમા હોલ ખાતે નમો ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોરબી જીલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના હોદેદાર એવા કલાકોરા દ્વારા તેની કલા રજુ કરવામાં આવી હતી અને ખાસ કરીને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા ૨૦ વર્ષમાં જેક કામ કરવામાં આવ્યા છે તેને કલાના હળવા માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા તાજેતરમાં સાંસ્કૃતિક સેલની રચના કરવામાં આવી છે તેમાં સંયોજક તરીકે દેવેનભાઇ વ્યાસને લેવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા સાંસ્કૃતિક સેલના સંયોજક દેવેનભાઇ વ્યાસ અને તેમની ટીમ દ્વારા રવાપરલગામે આવેલા ઉમા હોલ ખાતે નમો ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ નમો ડાયરામાં કલાકારો દ્વારા નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારમાં જે કામગીરી કરવામાં આવી છે તેને જન જન સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને કલાકારો દ્વારા લોક સાહિત્ય, હાસ્ય અને ભજનના માધ્યમથી કલાકારો દ્વારા જુદીજુદી કૃતિઓ રજુ કરવામાં આવી હતી અને સરકારે લોકોની સુખાકારીમાં વધારવા થાય તે માટે લીધેલા નિર્ણયોની ઝાંખી લોકોને કરાવી હતી અને કલાના માધ્યમથી નરેન્દ્ર મોદીના જન્મથી લઇને દિલ્હીની ગાદી સુધીની સફર વિષેની માહિતી રજુ કરી હતી






Latest News