મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ગાંધીજીની પ્રતિમા બીજી વખત ખંડિત: રાષ્ટ્રપિતાનું વારંવાર અપમાન છતાં તંત્ર મૌન !


SHARE







મોરબીમાં ગાંધીજીની પ્રતિમા બીજી વખત ખંડિત: રાષ્ટ્રપિતાનું વારંવાર અપમાન છતાં તંત્ર મૌન !

મોરબીમાં એસબીઆઇ બેન્કની સામે આવેલ ગાંધીબાગ માં વર્ષોથી પાલિકા દ્વારા પાર્કિંગ સ્ટેન્ડ બનાવી દેવામાં આવી છે જોકે બાગમાં વર્ષો પહેલા જે ગાંધીજીની પ્રતિમા મુકવામાં આવી હતી તેને મૂકી રાખવામા આવી હતી અને પાલિકના વાહનનો ધક્કો લાગવાના લીધે તે પ્રતિમા ખંડિત થઈ હતી અને ત્યારબાદ તેને રિપેર કરીને જે તે સમયના પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પુનઃ પ્રસ્થાપિત કરી દેવામાં આવી હતી જોકે ત્યારબાદ આ દિવસ સુધીમાં તે પ્રતિમા નવી બનાવવામાં આવેલ નથી અને આજે ફરી પાછું આ પ્રતિમા ઉપરથી ગાંધીજીનું માથું નીચે પડી ગયું હતું એને વધુ એક વખત ગાંધીજીનું અપમાન કરવામાં આવ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નગરપાલિકા દ્વારા મોરબીના ગાંધી બાગની અંદર પાર્કિંગ સ્ટેન્ડ બનાવી દેવામાં આવ્યું છે અને તેમાં લોકો પોતાનાં વાહનો પાર્ક કરતા હોય છે જો કે ગાંધીજીની પ્રતિમાને વર્ષો પહેલા મોરબી નગરપાલિકાના સફાઈ માટેના વાહનો ધક્કો લાગ્યો હોવાના કારણે તે પ્રતિમા ઉપરથી માથું નીચે પડી ગયું હતું અને પ્રતિમા ખંડિત થઈ ગઈ હતી જો કેગાંધીજીનું માથું ધડથી અલગ થઇ ગયું હતું તો પણ તેને રીપેર કરીને જે તે સમયે પ્રતિમાને મૂકી દેવામાં આવી હતી અને આ ઘટનાને લગભગ સાતેક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ આજ દિવસ સુધી પાલિકા દ્વારા ગાંધીજીની નવી પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવેલ નથી

અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીજીની પ્રતિમા પહેલી વખત જ્યારે ખંડિત થઈ હતી ત્યારબાદ નગરપાલિકાની મિટિંગમાં ભવિષ્યમાં ગાંધીજીની નવી પ્રતિમા મૂકવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો જો કેઅફસોસની વાત એ છે કે સાત વરસની અંદર ગાંધીજીની નવી પ્રતિમા મુકવા માટેનો સમય નગરપાલિકાને મળ્યો નથી અને આજે વધુ એક વખત આ પ્રતિમા ખંડિત થયેલ છે અને પ્રતિમા ઉપરથી માથું નીચે પડી જવાના કારણે વધુ એક વખત ગાંધીજીનું અપમાન થયું હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે મોરબી નગર પાલિકાના બેદરકાર અધિકારી અને પદાધિકારીઓની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે સો મણનો સવાલ છે 






Latest News