હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ અને હરબટીયાળી પ્રાથમિક શાળામાં ચકલી ઘર અને પાણીના કુંડા નું નિશુલ્ક વિતરણ કરાયુ મોરબીમાં 250 થી વધુ મકાનોનું ડિમોલેશન તાત્કાલિક રોકવા કોંગ્રેસ-સ્થાનિક લોકોની માંગ મોરબી મહાનગરપાલિકાના ફાયર કાફલામાં મિની ફાયર ટેન્ડરનો ઉમેરો થયો ઐતિહાસિક વિરાસત: મોરબીની એલ.ઈ. કોલેજ પાસે ₹81.30 લાખના ખર્ચે ગાર્ડનનું નિર્માણ થશે મોરબીના શનાળા ગામે મુકાયેલા નવા સ્પીડ બ્રેકરના વિરોધમાં ગ્રામજનોએ કર્યો ચક્કાજામ મોરબી મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ 2.0 કાર્યક્રમ યોજાયો: અરજદારોના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા નવી એનિમલ હોસ્ટેલ બનાવાનું આયોજન મોરબીમાં જુદીજુદી જગ્યાએથી પાણીપુરીનું પાણી અને જુદાજુદા શાકના નમૂના મનપાના ફૂડ વિભાગે લીધા
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામે જુગાર રમતા ચારની ઘરપકડ


SHARE











મોરબીના જાંબુડીયા ગામે જુગાર રમતા ચારની ઘરપકડ

મોરબી તાલુકાના જાંબુડિયા ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસની ટીમે જુગાર અંગે રેડ કરી હતી ત્યારે ચાર શખ્સો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હોય તેઓની પાસેથી પોલીસે રૂા.૩૨૫૦ ની રોકડ કબ્જે કરીને આગળન કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી તાલુકાના જાંબુડિયા ગામે દશામાઁના ગેટની અંદરના ભાગે આવેલા ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હોય મોરબી તાલુકા પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી.ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મળી આવેલા અશોક પરસોત્તમભાઈ ઇન્દરીયા કોળી (૪૩), રમેશભાઈ રાણાભાઇ ગેલડીયા કોળી (૩૬), સંજયભાઈ ધરમશીભાઈ છેલાણીયા કોળી (૪૧) અને નવઘણભાઈ હરખાભાઈ ઇંટોદરા કોળી (૨૭) રહે.હાલ બધા જાંબુડીયાની તાલુકા પોલીસ સ્ટાફે રોકડા રૂા.૩૨૫૦ સાથે અટકાયત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પરિણિતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે વજાભાઈ વેલાભાઇ રાજપુતની વાડી વાવવા રાખેલી હોય અને ત્યાં મગફળીમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમયે ભૂલથી ઝેરી દવાવાળા ડબલામાં પાણી પીવાય જવાથી રંગીતાબેન અશ્વિનભાઈ અમરશીભાઈ રાઠવા નામની ૨૦ વર્ષીય નવોઢાને ઝેરી અસર થઇ હતી જેથી તેણીને મોરબી સિવિલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.પરિણીતાનો લગ્નગાળો દોઢેક વર્ષનો હોવાનું જાણવા મળેલ છે.મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ તપાસ કરીને હળવદ પોલીસને જાણ કરતાં હળવદ પીએસઆઈ આર.બી.ટાપરીયાએ બનાવ અંગે આગળની તપાસ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શ્રીજીનગર વિસ્તારમાં હનુમાન મંદિર પાસે રહેતા લલીતભાઈ અમૃતલાલભાઈ વ્યાસ બાઇક લઇને રોહીશાળા જવા માટે નીકળ્યા હતા ત્યારે ટંકારાના કલ્યાણપર ગામના પાટીયા નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ જવાથી ઈજાગ્રસ્ત થયેલા લલીતભાઈ વ્યાસને આયુષ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.






Latest News