મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીની પંચાસર ચોકડી પાસેથી પિસ્તોલ-કાર્ટીઝ સાથે એક ઝડપાયો


SHARE











મોરબીની પંચાસર ચોકડી પાસેથી પિસ્તોલ-કાર્ટીઝ સાથે એક ઝડપાયો

મોરબી પંથકમાં બે દિવસમાં ચાર હથિયાર મળ્યા હતા તેવામાં વધુ એક હથિયાર મળી આવ્યું છે જેમાં મોરબી પંચાસર ચોકડી પાસે પાનના ગાલ્લે ઉભેલા શખ્સની પાસે હથિયાર હોવાની માહિતી મળી હતી તેના આધારે પોલીસે તેને ચેક કરતાં તેની પાસેથી દેશી બનાવટની મેગ્ઝન વાળી પીસ્તોલ તથા કાર્ટીઝ મળી આવેલ હતી જેથી પોલીસે ૧૦,૧૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં પંચાસરના એક શખ્સની ધરપકડ કરી હતી

મોરબી એલ.સી.બી.ના શકિતસિંહ ઝાલા તથા સહદેવસિંહ જાડેજાને સયુંકત ખાનગી બાતમી મળી હતી કે, હીતેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા રહે. પંચાસર વાળો મોરબી પંચાસર ચોકડી પાસે આવેલ ડીલક્ષ પાન પાસે ઉભેલ છે જેના પેન્ટના નેફામાં હથીયાર છે તે ચોકક્સ બાતમી આધારે પંચાસર રોડ ઉપર ડીલક્ષ પાન પાસેથી આરોપી હીતેન્દ્રસિંહ ઉર્ફે હીતુભા વિક્રમસિંહ ઝાલા જાતે દરબાર (ઉ. ૨૫) રહે, પંચાસર વાળાને ચેક કરતાં તેની પાસેથી દેશી બનાવટની મેજીન વાળી એક પીસ્તોલ અને એક કાર્ટીઝ મળતા પોલીસે ૧૦,૧૦૦ ના મુદામાલ સાથે ઑરોપીની ધરપકડ કરેલ છે અને એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે આર્મસ એકટ કલમ ૨૫ (૧-બી), એ મુજબ ગુન્હો નોંધાવેલ છે આ કામગીરી પીઆઇ વી.બી.જાડેજાની સૂચનાથી પીએસઆઈ એન.બી.ડાભી, દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઇ કુગસીયા, રણવીરસિંહ જાડેજા અને સતીષભાઇ કાંજીયાએ કરી હતી






Latest News