મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે શ્રમિકોને ધરમ ધક્કા


SHARE











મોરબીમાં ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે શ્રમિકોને ધરમ ધક્કા

કેન્દ્ર સરકારે ઈ-શ્રમ કાર્ડ કાઢીને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહેલા શ્રમિકોને સલામતી માટેનો નિર્ણય કરલે છે જો કે, મોરબીમાં ઈ-શ્રમ કાર્ડ કાઢવાં માટે પોર્ટલ બંધ રહેતી હોવાથી શ્રમિક પોતાનું કામ બંધ રાખીને આવે તો પણ તેના કાર્ડ બનતા નથી જેથી કરીને શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે ધરમ ધક્કા થઈ રહ્યા છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં હાલમાં ઈ-શ્રમ કાર્ડ કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને શ્રમિક પોતાનું કામ બંધ રાખીને ઈ-શ્રમ કાર્ડ કાઢવા માટે આવે છે જો કે ટેકનિકલ કારણોસર વેબસાઇટ ચાલુ રહેતી ન હોવાથી ઈ-શ્રમ કાર્ડ કાઢવા માટે આવેલા શ્રમિકોના કાર્ડ નીકળતા નથી આજે પણ ઘણા શ્રમિકો કાર્ડ કઢાવવા માટે આવ્યા હતા તેના કાર્ડ નીકળ્યા નથી અને ત્યાં કામગીરી કરી રહેલા જવાબદાર વ્યક્તિએ જણાવ્યુ હતું કે, નેટવર્ક પ્રોબ્લેમ હોવાના લીધે કાર્ડ નીકળતા નથી અત્રે ઉલેખનીય છે કે, જો આ કાર્ડ કાઢવામાં આવ્યું હોય અને શ્રમિક અકસ્માતનો ભોગ બને અને મૃત્યુ થાય તો બે લાખનો વીમો, વિકલાંગ થાય તો ૫૦ હજાર થી એક લાખ રૂપિયા સુધીની સરકારી સહાય મળે છે પરંતુ મોરબીમાં કાર્ડ નીકળતું ન હોવાથી શ્રમિકોને આ સરકારી યોજનાનો લાભ મળે તેમ નથી






Latest News