તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે શ્રમિકોને ધરમ ધક્કા


SHARE











મોરબીમાં ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે શ્રમિકોને ધરમ ધક્કા

કેન્દ્ર સરકારે ઈ-શ્રમ કાર્ડ કાઢીને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહેલા શ્રમિકોને સલામતી માટેનો નિર્ણય કરલે છે જો કે, મોરબીમાં ઈ-શ્રમ કાર્ડ કાઢવાં માટે પોર્ટલ બંધ રહેતી હોવાથી શ્રમિક પોતાનું કામ બંધ રાખીને આવે તો પણ તેના કાર્ડ બનતા નથી જેથી કરીને શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે ધરમ ધક્કા થઈ રહ્યા છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં હાલમાં ઈ-શ્રમ કાર્ડ કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને શ્રમિક પોતાનું કામ બંધ રાખીને ઈ-શ્રમ કાર્ડ કાઢવા માટે આવે છે જો કે ટેકનિકલ કારણોસર વેબસાઇટ ચાલુ રહેતી ન હોવાથી ઈ-શ્રમ કાર્ડ કાઢવા માટે આવેલા શ્રમિકોના કાર્ડ નીકળતા નથી આજે પણ ઘણા શ્રમિકો કાર્ડ કઢાવવા માટે આવ્યા હતા તેના કાર્ડ નીકળ્યા નથી અને ત્યાં કામગીરી કરી રહેલા જવાબદાર વ્યક્તિએ જણાવ્યુ હતું કે, નેટવર્ક પ્રોબ્લેમ હોવાના લીધે કાર્ડ નીકળતા નથી અત્રે ઉલેખનીય છે કે, જો આ કાર્ડ કાઢવામાં આવ્યું હોય અને શ્રમિક અકસ્માતનો ભોગ બને અને મૃત્યુ થાય તો બે લાખનો વીમો, વિકલાંગ થાય તો ૫૦ હજાર થી એક લાખ રૂપિયા સુધીની સરકારી સહાય મળે છે પરંતુ મોરબીમાં કાર્ડ નીકળતું ન હોવાથી શ્રમિકોને આ સરકારી યોજનાનો લાભ મળે તેમ નથી






Latest News