મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના વાંકીયા ગામે એસિડ પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE







હળવદના વાંકીયા ગામે એસિડ પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના હળવદ તાલુકાના વાંકીયા ગામે રહેતા યુવાને વાડી વિસ્તારમાં એસિડ પી લીધું હતું જેથી કરીને ટૂંકી સારવાર દરમિયાન રાજકોટ ખાતે તેનું મોત નીપજ્યું હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાંથી મળતી માહિતી મુજબ હળવદના વાંકીયા ગામે રહેતા કેતનભાઇ વનજીભાઈ એરણીયા જાતે પટેલ (ઉમર ૩૨) નામના યુવાને વાડી વિસ્તારમાં તા.૪-૧૦ ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં એસિડ પી લીધુ હતુ જેથી એસિડ પી ગયેલા કેતનભાઇને સારવાર માટે મોરબીના સામાકાંઠે આવેલી સમર્પણ હોસ્પિટલે ખસેડાયા હતા ત્યાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલે લઇ જવાયા હતા અને ત્યાં રાજકોટ ખાતે ગઈકાલ તા.૫ ના મોડી સાંજના આઠેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મોત કેતનભાઇનું મોત નીપજયું હતું.બનાવને પગલે રાજકોટ પોલીસે નોંધ કરીને આગળની તપાસ માટે મોરબી પોલીસને જાણ કરી હતી.વધુમાં મળતી માહિતી મુજબ મૃતક કેતનભાઈ એરણીયાને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોય પરિવાર છત્રછાયા ગુમાવી હતી. થોડા સમય પહેલા મૃતક કેતનભાઇને કોરોના થઈ ગયો હતો ત્યારબાદથી તેઓ ગુમશુમ રહેતા હતા અને માનસીક દવા ચાલુ હતી. થોડા સમય પહેલા પણ તેઓએ એ વધુ પડતી ઉંઘની દવા પી લીધી હતી અને દરમિયાનમાં બે દિવસ પહેલા એસિડ પી લેતાં તેઓનું સારવાર દરમિયાન ગઇકાલે રાજકોટ ખાતે મોત નિપજેલ છે.

યુવતી સારવારમાં

મોરબીના અમરેલી ગામે હિંમતભાઈ ભિખાભાઈની વાડીએ રહેતા પરિવારના મનિષાબેન મોહનભાઈ ભીલ નામની ૧૮ વર્ષીય યુવતીને સાપ કરડી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.






Latest News