મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

હળવદના વાંકીયા ગામે એસિડ પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE











હળવદના વાંકીયા ગામે એસિડ પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના હળવદ તાલુકાના વાંકીયા ગામે રહેતા યુવાને વાડી વિસ્તારમાં એસિડ પી લીધું હતું જેથી કરીને ટૂંકી સારવાર દરમિયાન રાજકોટ ખાતે તેનું મોત નીપજ્યું હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાંથી મળતી માહિતી મુજબ હળવદના વાંકીયા ગામે રહેતા કેતનભાઇ વનજીભાઈ એરણીયા જાતે પટેલ (ઉમર ૩૨) નામના યુવાને વાડી વિસ્તારમાં તા.૪-૧૦ ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં એસિડ પી લીધુ હતુ જેથી એસિડ પી ગયેલા કેતનભાઇને સારવાર માટે મોરબીના સામાકાંઠે આવેલી સમર્પણ હોસ્પિટલે ખસેડાયા હતા ત્યાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલે લઇ જવાયા હતા અને ત્યાં રાજકોટ ખાતે ગઈકાલ તા.૫ ના મોડી સાંજના આઠેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મોત કેતનભાઇનું મોત નીપજયું હતું.બનાવને પગલે રાજકોટ પોલીસે નોંધ કરીને આગળની તપાસ માટે મોરબી પોલીસને જાણ કરી હતી.વધુમાં મળતી માહિતી મુજબ મૃતક કેતનભાઈ એરણીયાને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોય પરિવાર છત્રછાયા ગુમાવી હતી. થોડા સમય પહેલા મૃતક કેતનભાઇને કોરોના થઈ ગયો હતો ત્યારબાદથી તેઓ ગુમશુમ રહેતા હતા અને માનસીક દવા ચાલુ હતી. થોડા સમય પહેલા પણ તેઓએ એ વધુ પડતી ઉંઘની દવા પી લીધી હતી અને દરમિયાનમાં બે દિવસ પહેલા એસિડ પી લેતાં તેઓનું સારવાર દરમિયાન ગઇકાલે રાજકોટ ખાતે મોત નિપજેલ છે.

યુવતી સારવારમાં

મોરબીના અમરેલી ગામે હિંમતભાઈ ભિખાભાઈની વાડીએ રહેતા પરિવારના મનિષાબેન મોહનભાઈ ભીલ નામની ૧૮ વર્ષીય યુવતીને સાપ કરડી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.






Latest News