મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગનું ચેકિંગ, 6 વાહનોને પકડવામાં આવ્યા મોરબીમાં વાલ્મીકિ જયંતિએ ભીમસરમાં હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ મોરબીમાં ઘરેણાં-રોકડ ભરેલું પર્સ મૂળ માલિકને પરત અપાવતી પોલીસ મોરબીના લાલપર ગામ પાસેથી દારૂ-બિયરની 10 બોટલ સાથે 2 પકડાયા મોરબીમાં દીકરાની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાનને ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ મોરબીમાં લોહાણા વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી પોલીસને ન આપતા ત્રણ સ્પા-આઠ હોટલ સહિત 18  સામે ગુના નોંધાયા વાંકાનેરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી ખાણખનીજ વિભાગે એક વર્ષમાં ૬.૧૪ કરોડનો દંડ વસૂલ કર્યો: ૩૨.૩૨ કરોડની લીઝની આવક


SHARE













મોરબી ખાણખનીજ વિભાગે એક વર્ષમાં ૬.૧૪ કરોડનો દંડ વસૂલ કર્યો: ૩૨.૩૨ કરોડની લીઝની આવક

મોરબી જીલ્લામાં ખનીજ ચોરી બેફામ કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબી જીલ્લામાં છેલ્લા એક વર્ષમાં ખનીજચોરી રોકવા માટે કરાયેલ કાર્યવાહીથી સરકારી તિજોરીમાં ૬.૧૪ કરોડ દંડની રકમની આવક થયેલ છે અને લીઝ આપેલ છે તેના થકી ૩૨.૩૨ કરોડની આવક થયેલ છ

મોરબી જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી જે.એસ.વાઢેરે માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં આવેલ વાંકાનેર, મોરબી અને હળવદ તાલુકાઓમાં બ્લેકટ્રેપ, સેન્ડસ્ટોન,સાદી રેતી, ફાયરકલે અને રેડકલે જેવા ખનિજોની કુલ-૩૮૫ ક્વોરી લીઝો આવેલ છે જેના લીધે સરાકારને દર વર્ષે કરોડોની મહેસુલી આવક મળતી હોય છે જે પૈકી વર્ષ ૨૦૨૨-૨૩ માં ૨૯.૨૮ કરોડની આવક થયેલ હતી જેની સામે વર્ષ ૨૦૨૩-૨૪ માં ૩૨.૩૨ કરોડની આવક થયેલ છે આ ઉપરાંત જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ખનન, વહન અને સંગ્રહની પ્રવ્રુતિઓ અટકાવવા જે કામગીરી કરવામાં આવેલ છે તેના થકી વર્ષ ૨૦૨૩-૨૪ માં ગેરકાયદેસર ખનિજ ખનન, વહન અને સંગ્રહના ૨૨૩ કેસ પકડવામાં આવેલ હતા અને કુલ મળીને ૬.૧૪ કરોડનો દંડ વસૂલ કરવામાં આવેલ છે અને અલગ અલગ નવ કેસમાં ફરીયાદ કરવામાં આવી છે






Latest News