મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ઍકેડેમી દ્વારા PSI-કૉન્સ્ટેબલ પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE











મોરબીમાં નવયુગ ઍકેડેમી દ્વારા PSI-કૉન્સ્ટેબલ પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

આગમી દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે ત્યારે  પરીક્ષાની તૈયારી કરતાં મોરબી જિલ્લાનાં વિદ્યાર્થીઓ માટે નવયુગ ઍકેડેમી દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર પ્રતિકભાઈ કાછડીયાસ્પર્ધાત્મક પરીક્ષાના ધુરંધર નવયુગ ફેંકલ્ટીના જગતદાન ગઢવી તેમજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું  હતું. ત્યારે પ્રતિકભાઈએ વિદ્યાર્થીઓને  વિવિધ પ્રકારના ઉદાહરણ આપીને ખૂબ મોટિવેટ કર્યાં હતાંજયારે જગતદાનએ પરીક્ષાનો સંપૂર્ણ રોડ મેપ સમજાવ્યો હતો. અને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ લાઈવ ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીનું શું મહત્ત્વ છે તે સમજાવી ૯૦ ટકા ઉપર રિઝલ્ટ લાવવાનો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને મનહરભાઈ શુદ્રાએ ખૂબ સરસ સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમ પી.ડી. કાંજીયાની હાજરીમાં યોજાયો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા ઍકેડેમીના ડાયરેક્ટર દુષ્યંતભાઈકાજલબેન તથા છાત્રપાલભાઈએ જહેમત ઉઠાવી હતી






Latest News