મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ઍકેડેમી દ્વારા PSI-કૉન્સ્ટેબલ પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE

















મોરબીમાં નવયુગ ઍકેડેમી દ્વારા PSI-કૉન્સ્ટેબલ પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

આગમી દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે ત્યારે  પરીક્ષાની તૈયારી કરતાં મોરબી જિલ્લાનાં વિદ્યાર્થીઓ માટે નવયુગ ઍકેડેમી દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર પ્રતિકભાઈ કાછડીયાસ્પર્ધાત્મક પરીક્ષાના ધુરંધર નવયુગ ફેંકલ્ટીના જગતદાન ગઢવી તેમજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું  હતું. ત્યારે પ્રતિકભાઈએ વિદ્યાર્થીઓને  વિવિધ પ્રકારના ઉદાહરણ આપીને ખૂબ મોટિવેટ કર્યાં હતાંજયારે જગતદાનએ પરીક્ષાનો સંપૂર્ણ રોડ મેપ સમજાવ્યો હતો. અને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ લાઈવ ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીનું શું મહત્ત્વ છે તે સમજાવી ૯૦ ટકા ઉપર રિઝલ્ટ લાવવાનો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને મનહરભાઈ શુદ્રાએ ખૂબ સરસ સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમ પી.ડી. કાંજીયાની હાજરીમાં યોજાયો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા ઍકેડેમીના ડાયરેક્ટર દુષ્યંતભાઈકાજલબેન તથા છાત્રપાલભાઈએ જહેમત ઉઠાવી હતી




Latest News