મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

રાહુલ ગાંધીના નિવેદન સામે પ્રતિક્રિયા આપનારા વાંકાનેરના રાજવીએ રૂપાલાના નિવેદન સામે કેમ પ્રતિક્રિયા ન આપી ?: મોરબી રાજપૂત કરણી સેના


SHARE













રાહુલ ગાંધીના નિવેદન સામે પ્રતિક્રિયા આપનારા વાંકાનેરના રાજવીએ રૂપાલાના નિવેદન સામે કેમ પ્રતિક્રિયા ન આપી ?: મોરબી રાજપૂત કરણી સેના

હાલમાં જાણે કે લોકોના મુદાઓને ભૂલીને માત્ર ક્ષત્રિય સમાજને લક્ષ્યમાં રાખીને ચૂંટણી ચાલી રહી હોય તેમ એક પછી એક નિવેદન આવી રહ્યા છે તેવામાં રાહુલ ગાંધીએ રાજા રજવાડા વિષેજે નિવેદન આપેલ છે તેનેલાઈને વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવેલ હતી જો કે, પરસોતમભાઈ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતુ તેને લઈને કોઈ પ્રતિક્રિયા આપેલ ન હતી જેથી કરીને મોરબી રાજપૂત કરણી સેનાના અધ્યક્ષએ વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદને તેઓ પક્ષને ભલે મહાન ગણતા હોય પરંતુ પક્ષ પછી અને પહેલા સમાજ હોવો જોઈએ તેવી ટકોર કરી હતી અને આખો ક્ષત્રિય સમાજ રૂપાલા સામે લડાઈ લડી રહ્યો છે તે લડાઈમાં ન જોડાવ તો કઈ નહીં પરંતુ ક્ષાત્રવટ ધર્મ નિભાવવાને બદલે સમાજની હિંમત તોડવાનું કામ ન કરો કહ્યું છે

રાહુલ ગાંધીના રાજા-રજવાડા વિષે જે નિવેદન આપેલ છે તેને લઈને વાંકાનેરના મહારાજા અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ તુરત જ પ્રતિક્રિયા આપેલ છે જેથી કરીને રાજવી કેસરીદેવસિંહ ઝાલાના નિવેદનને લઈને મોરબી રાજપૂત કરણી સેના અધ્યક્ષ જયદેવસિંહ જાડેજાએ કહ્યું હતું કે, હાલમાં કેસરીદેવસિંહે પ્રતિક્રિયા આપી તેની સામે કોઈ વાંધો ન હોય, કોઈએ ભૂલ કરી હોય તો પ્રતિક્રિયા આપવી જ જોઈએ પરંતુ કેસરીદેવસિંહ આપ રાજવી છો, સ્ટેટ છો, આપણે એ ન ભૂલવું જોઈએ કે, આપણે ક્ષત્રિય છીએ, આપણી બહેન દીકરીઓ ઉપર વાત આવી અને આજે આપણી બહેન દીકરીઓ અને સમાજ એક મહિનાથી રસ્તા ઉપર છે ત્યારે પરસોતમ રૂપાલાએ બકવાસ કર્યો ત્યારે તમે કેમ નિવેદન ન આપ્યું ? વધુમાં તેમને ઉમેર્યું કે, પક્ષ મજબૂત હોવો જોઈએ પક્ષની સાથે રહેવું જોઈએ પણ સમાજથી મોટો પક્ષ ન હોવો જોઈએ. પરસોતમ રૂપાલા વિષે જાહેરમાં આવીને બે શબ્દ પણ આપ નથી બોલ્યા ? મારે આપને વધારે કઈ ન કહેવાય, આપ મોભી છો, મરાથી વડીલ છો અને આપ એક રાજવી છો, મારે આપને કોઈ સલાહ ન દેવાની હોય.  હું આપને બે હાથ જોડીને વિનંતી કરું છું કે, ક્ષાત્રવટ ધર્મ પહેલા હોવો જોઈએ, પક્ષ બાજુમાં હોવો જોઈએ. અને અંતમાં કેસરિદેવસિંહને વિનંતી કરી હતી કે, ભલે આપ આ લડાઈમાં ન જોડાવ કોઈ વાંધો નહીં આપના માટે પક્ષ મહાન હશે પણ સાહેબ છેલ્લા એક મહિનાથી જે ભાઈઓ, બહેનો અને માતાઓ રસ્તા ઉપર આવી લડાઈ લડી રહ્યા છે તેમની હિંમત તોડવાનો પ્રયાસ ન કરો તેવું જયદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું.




Latest News