માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

માળિયા (મી)માં થયેલ બેવડી હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ: ૪ લાખનો દંડ 


SHARE

















માળિયા (મી)માં થયેલ બેવડી હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ: ૪ લાખનો દંડ 

માળિયા મિયાણાંના કોબા વાંઢ વિસ્તારમાં ખેતરના શેઢે ભેંસ ચરાવવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ઉશ્કેરાઈ ગયેલા કૌટુંબિક ભત્રીજાએ કાકી અને ભાઈને છરીના ઘા મારીને તે બંનેની હત્યા કરી નાખી હતી જે કેસ મોરબીની કોર્ટે ચાલી ગયો હતો જેમાં આરોપીને તકસીરવાન ઠેરવ્યો છે અને આ કેસમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેના માટે સરકારી વકીલે દલીલ કરી હતી ત્યાર બાદ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને ૪ લાખનો દંડ કરેલ છે

હાલમાં સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ વર્ષ ૨૦૨૨ ના ૧૧ માં માહિનામાં માળીયા (મી)ના કોબા વાંઢ વિસ્તારમાં ઇશાભાઈ હબીબભાઇ મોવરના ખેતરમાં તેમનો જ કૌટુંબિક ભત્રીજો  આરોપી શાહરુખભાઈ યુસુફભાઇ મોવર શેઢા ઉપર ભેંસ ચરાવતો હતો ત્યારે ઇશાભાઈના દીકરા હબીબે તેને ત્યાં ભેંસ ચરાવવાની ના કહી હતી જેથી કરીને આરોપીએ ઝઘડો કર્યો હતો અને ત્યારે તેને હબીબને છરીના ઘા ઝીકી દીધા હતા અને ઇશાભાઈના પત્ની ઝરીનાબેન ત્યાં હાજર હોય તેઓ દોડીને આવતા તેને પણ આરોપીએ છરીના ઘા માર્યા હતા જેથી કરીને બન્નેને સારવારમાં ખસેડાયા હતા અને તે બંનેના મોત નીપજયાં હતા જેથી બેવડી હત્યામાં બનાવ પલટાયો હતો અને આ કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ સી. દવે દ્વારા ૧૯ મૌખિક અને ૪૬ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને ધારદાર દલીલ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી શાહરુખભાઈ યુસુફભાઇ મોવરને તકસીરવાન ઠેરવ્યો છે અને આ બનાવને રેરેર ઓફ ધ રેર કેસ ગણી આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી હતી અને તેની સરકારી વકીલ સંજયભાઈ સી. દવે દ્વારા દલીલ કરવામાં આવી હતી ત્યાર બાદ કોર્ટે આરોપી શાહરુખભાઈ યુસુફભાઇ મોવરને આજીવન કેદની સજા કરેલ છે અને તેને ચાર લાખનો દંડ કરેલ છે જે રકમ ભોગ બનેલા પરિવારને કમ્પેસેશન તરીકે આપવાનો હુકમ કરેલ છે




Latest News