માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

માળિયા (મી)માં થયેલ બેવડી હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ: ૪ લાખનો દંડ 


SHARE















માળિયા (મી)માં થયેલ બેવડી હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ: ૪ લાખનો દંડ 

માળિયા મિયાણાંના કોબા વાંઢ વિસ્તારમાં ખેતરના શેઢે ભેંસ ચરાવવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ઉશ્કેરાઈ ગયેલા કૌટુંબિક ભત્રીજાએ કાકી અને ભાઈને છરીના ઘા મારીને તે બંનેની હત્યા કરી નાખી હતી જે કેસ મોરબીની કોર્ટે ચાલી ગયો હતો જેમાં આરોપીને તકસીરવાન ઠેરવ્યો છે અને આ કેસમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેના માટે સરકારી વકીલે દલીલ કરી હતી ત્યાર બાદ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને ૪ લાખનો દંડ કરેલ છે

હાલમાં સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ વર્ષ ૨૦૨૨ ના ૧૧ માં માહિનામાં માળીયા (મી)ના કોબા વાંઢ વિસ્તારમાં ઇશાભાઈ હબીબભાઇ મોવરના ખેતરમાં તેમનો જ કૌટુંબિક ભત્રીજો  આરોપી શાહરુખભાઈ યુસુફભાઇ મોવર શેઢા ઉપર ભેંસ ચરાવતો હતો ત્યારે ઇશાભાઈના દીકરા હબીબે તેને ત્યાં ભેંસ ચરાવવાની ના કહી હતી જેથી કરીને આરોપીએ ઝઘડો કર્યો હતો અને ત્યારે તેને હબીબને છરીના ઘા ઝીકી દીધા હતા અને ઇશાભાઈના પત્ની ઝરીનાબેન ત્યાં હાજર હોય તેઓ દોડીને આવતા તેને પણ આરોપીએ છરીના ઘા માર્યા હતા જેથી કરીને બન્નેને સારવારમાં ખસેડાયા હતા અને તે બંનેના મોત નીપજયાં હતા જેથી બેવડી હત્યામાં બનાવ પલટાયો હતો અને આ કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ સી. દવે દ્વારા ૧૯ મૌખિક અને ૪૬ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને ધારદાર દલીલ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી શાહરુખભાઈ યુસુફભાઇ મોવરને તકસીરવાન ઠેરવ્યો છે અને આ બનાવને રેરેર ઓફ ધ રેર કેસ ગણી આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી હતી અને તેની સરકારી વકીલ સંજયભાઈ સી. દવે દ્વારા દલીલ કરવામાં આવી હતી ત્યાર બાદ કોર્ટે આરોપી શાહરુખભાઈ યુસુફભાઇ મોવરને આજીવન કેદની સજા કરેલ છે અને તેને ચાર લાખનો દંડ કરેલ છે જે રકમ ભોગ બનેલા પરિવારને કમ્પેસેશન તરીકે આપવાનો હુકમ કરેલ છે






Latest News