મોરબીમાં તાવ આવતા સારવાર ખસેડાયેલ વૃદ્ધનું મોત
SHARE
મોરબીમાં તાવ આવતા સારવાર ખસેડાયેલ વૃદ્ધનું મોત
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વૈભવ નગરમાં રહેતા વૃદ્ધને તાવ આવતો હતો જેથી તેને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજયું હતું જે બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વૈભવનગરમાં રહેતા રાજેશભાઈ મગનભાઈ ધાંગધરીયા જાતે સુથાર (૭૦) નામના વૃદ્ધને છેલ્લા દિવસોથી તાવ આવતો હતો અને તે બીમાર પણ હતા જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની સત્યમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે