મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુરથી પાનેલીને જોડતો રસ્તો-વરસાદી પાણીના વોકળા ખોલવા રજૂઆત


SHARE







મોરબીના લખધીરપુરથી પાનેલીને જોડતો રસ્તો-વરસાદી પાણીના વોકળા ખોલવા રજૂઆત

મોરબી તાલુકના લખધીરપુરથી પાનેલી ગામ તરફ જવાનો રસ્તો હતો તેને બંધ કરવામાં આવેલ છે જેથી કરીને આ રસ્તાને ખુલ્લો કરવા તેમજ જીઆઇડીસી દ્વારા બંધ કરવામાં આવેલા વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવાની ગ્રામ પંચાયત દ્વારા મોરબી તાલુકા મામલતદારને રજૂઆત કરાઇ છે

મોરબી તાલુકાનાં પાનેલી ગામ પાસે નવી ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીઆઇડીસી) મંજૂર કરવામાં આવેલ છે તેનો વિરોધ કરવામાં આવે છે તો પણ જીઆઇડીસીનુ કામ રોકવામાં આવ્યું નથી અને હાલમાં લખધીરપુર ગામથી પાનેલી જતો સર્વે નં. ૧૪૦ પૈકીમાંથી નીકળતો રાતો જીઆઇડીસી દ્વારા બંધ કરવામાં આવ્યો છે. અને જાંબુડીયા સર્વે. નં. ૧૪૬ ના વિસ્તારમાંથી જે પાણી પાનેલી તળાવમાં આવે છે તેને પણ બંધ કરવામાં આવેલ છે જેથી કરીને રસ્તો ખોલવામાં આવે તેમજ વરસાદી પાણીના વોકળા ખોલવામાં આવે તેના માટે ગ્રામ પંચાયત દ્વારા મોરબી તાલુકા મામલતદારને રજૂઆત કરવામાં આવેલ છે






Latest News