મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં માળીયા વનાળીયા, રામદેવનગર, શક્તિ સોસાયટી સહિતના વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ઉકેલવા કોંગ્રેસની માંગ


SHARE









મોરબીમાં માળીયા વનાળીયા, રામદેવનગર, શક્તિ સોસાયટી સહિતના વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ઉકેલવા કોંગ્રેસની માંગ

મોરબીના માળીયા વનાળીયા, રામદેવનગર, શક્તિ સોસાયટી, ઉમિયાનગર જેવા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે જેથી પાણી પ્રાથમિક સુવિધામાં આવતું હોવાથી ત્યાં રહેતા લોકોને પણ સમયસર અને પૂરતા પ્રમાણમાં પાણી આપવાની ચીફ ઓફિસરને મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા ચીફ ઓફીસરને જે રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા નજરબાગ પાસે આવેલ ફિલ્ટર પ્લાન્ટમાંથી પાણી લઈને મોરબીના માળીયા વનાળીયા, રામદેવનગર, શક્તિ સોસાયટી, ઉમિયાનગર જેવા વિસ્તારો પાણી આપવામાં આવે છે જો કે, તંત્રની બેદરકારીના કારણે પાણીની સુવિધા સારી નથી અને પાણી સમયસર અને પૂરત પ્રમાણમાં આવતું નથી. જેથી આ વિસ્તારોમાં પાણીની પાઈપ લાઈન નાખી કનેક્શનો આપવામાં આવેલ છે. જો કે, વાલ્વનો પશ્ન મુખ્ય હોય લોકોને પાણી મળતુ નથી. જેના કારણે પાણી માટે હેરાન છે ત્યારે નજરબાગ સંપથી આ વિસ્તારની પાઈપ લાઈન મારફતે પાણી મળે તેની વ્યવસ્થા કરવાની માંગ કરી છે અને આ રજુઆતને ધ્યાને લઈ તાત્કાલીક પાણીનો પશ્ન હલ કરવામાં નહીં આવે તો ના છુટકે જનઆંદોલન કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News