મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબીના લોહાણપરા વિસ્તારમાં ગંદકી સહિતના પ્રશ્નોને ઉકેલવા વિકાસકામોનું કરાયું ખાતમુહૂર્ત


SHARE

















મોરબીના લોહાણપરા વિસ્તારમાં ગંદકી સહિતના પ્રશ્નોને ઉકેલવા વિકાસકામોનું કરાયું ખાતમુહૂર્ત

 મોરબી શાકમાર્કેટનાં પાછળના વિસ્તારમાં ગટરના પાણીનો ભરાવો થવાનો વર્ષોથી પ્રશ્ન હતો જો કે, પડતર પડેલો આ પ્રશ્ન ઉકેલતો ન હતો તે પ્રશ્નનું નિરાકરણ લાવવામાં પાલિકાની વર્તમાન બોડી દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે અને જુના નાળાઓ સાફ કરવા, સમારકામ તથા નવી ભૂગર્ભ પાઇપલાઇન નાખવાંની કામગીરીનું પાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમારની હાજરીમાં ખાતમુહૂર્ત કરેલ છે. આ તકે ઉપપ્રમુખ જયરાજસિંહભાઈ જાડેજા, ચેરમેન દેવાભાઈ અવાડિયા, પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઇ જારીયાચેરમેન ભાવિકભાઈ જારીયા,ચેરમેન ભાનુબેન નગવાડિયા, ચેરમેન જસવંતિબેન સોનગરા, ચેરમેન આશીફભાઈ ઘાંચી, ચેરમેન મમતાબેન ધીરેનભાઈ ઠકાર, સદસ્ય પુષ્પાબેન જયસુખભાઈ સોનગરા, ભગવનજીભાઈ કંજારીયા, નિર્મળાબેન મોરાજીભાઈ કંજારીયા, અનોપસિંહ જાડેજા, કે.કે. પરમાર અને ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા હાજર રહ્યા હતા અને આ વિસ્તારના વેપારીઓ અને રાહદારીઓને કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી ખોદકામને કારણે બને તેટલી ઓછી હાલાકી ભોગવવી પડે તે બાબતનું ધ્યાન રાખવામા આવશે અને વહેલી તકે લોકોનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાઈ જશે અને લોકોની સુખાકારી વધશે તેવુ પાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમારએ જણાવ્યુ છે




Latest News