મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના લોહાણપરા વિસ્તારમાં ગંદકી સહિતના પ્રશ્નોને ઉકેલવા વિકાસકામોનું કરાયું ખાતમુહૂર્ત


SHARE











મોરબીના લોહાણપરા વિસ્તારમાં ગંદકી સહિતના પ્રશ્નોને ઉકેલવા વિકાસકામોનું કરાયું ખાતમુહૂર્ત

 મોરબી શાકમાર્કેટનાં પાછળના વિસ્તારમાં ગટરના પાણીનો ભરાવો થવાનો વર્ષોથી પ્રશ્ન હતો જો કે, પડતર પડેલો આ પ્રશ્ન ઉકેલતો ન હતો તે પ્રશ્નનું નિરાકરણ લાવવામાં પાલિકાની વર્તમાન બોડી દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે અને જુના નાળાઓ સાફ કરવા, સમારકામ તથા નવી ભૂગર્ભ પાઇપલાઇન નાખવાંની કામગીરીનું પાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમારની હાજરીમાં ખાતમુહૂર્ત કરેલ છે. આ તકે ઉપપ્રમુખ જયરાજસિંહભાઈ જાડેજા, ચેરમેન દેવાભાઈ અવાડિયા, પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઇ જારીયાચેરમેન ભાવિકભાઈ જારીયા,ચેરમેન ભાનુબેન નગવાડિયા, ચેરમેન જસવંતિબેન સોનગરા, ચેરમેન આશીફભાઈ ઘાંચી, ચેરમેન મમતાબેન ધીરેનભાઈ ઠકાર, સદસ્ય પુષ્પાબેન જયસુખભાઈ સોનગરા, ભગવનજીભાઈ કંજારીયા, નિર્મળાબેન મોરાજીભાઈ કંજારીયા, અનોપસિંહ જાડેજા, કે.કે. પરમાર અને ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા હાજર રહ્યા હતા અને આ વિસ્તારના વેપારીઓ અને રાહદારીઓને કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી ખોદકામને કારણે બને તેટલી ઓછી હાલાકી ભોગવવી પડે તે બાબતનું ધ્યાન રાખવામા આવશે અને વહેલી તકે લોકોનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાઈ જશે અને લોકોની સુખાકારી વધશે તેવુ પાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમારએ જણાવ્યુ છે






Latest News