હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા સહિત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ આજના સમયની તાતી માંગ


SHARE

















મોરબી જીલ્લા સહિત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ આજના સમયની તાતી માંગ

આજના સમયે જ્યારે રાસાયણિક ખાતર અને દવાઓનો વ્યાપ વધી રહ્યો છે ખેતીમાં ઉત્પાદકતા ઘટી રહી છે. જમીનની ફળદ્રુપતા પણ ઓછી થઈ ગઈ છે ત્યારે આજના સમય માં પ્રાકૃતિક ખેતી ખૂબ મહત્વ રૂપ બની ગઈ છે. પ્રાકૃતિક ખેતી એ તેવી ખેતી પદ્ધતિ છે જેમાં જમીન માટે જરૂરી પોષક તત્વો અને પૃથ્વી સંરક્ષણને ધ્યાનમાં રાખી વૈજ્ઞાનિક ઢબે પરંપરાગત ખેત પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.

 જમીનના સંરક્ષણ માટે જરૂરી એવી પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરોનો બિલકુલ ઉપયોગ થતો નથી, જે જમીનના પોષક તત્વોને સચોટ રીતે જાળવે છે. તે જમીનમાં જરૂરી મિત્ર કીટકોને જાળવી ખેતી માટે અનુકૂળ વાતાવરણનું સર્જન કરે છે. જેથી માટીની ફળદ્રુપતા અને ઉત્પાદકતા વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.

 પ્રાકૃતિક ખેતીમાં જૈવિક ખેતી પદ્ધતિઓનો ઉપયોગ થતો હોય છે, જે જમીન, પાણી અને વાયુંને કોઈ પણ રીતે નુકસાન કરતું નથી. તો રાસાયણિક પદાર્થોના વપરાશ વિનાના ઉત્પાદિત ખોરાક સ્વસ્થ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ લાંબા ગાળે કુદરતી સંસાધનોનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે, જે જમીન અને પર્યાવરણ માટે ટકાઉ વિકાસ પ્રોત્સાહિત કરે છે. પ્રાકૃતિક ખેતીનું મહત્વ માત્ર ખેતી પૂરતું જ સીમિત નથી પરંતુ સમગ્ર પર્યાવરણ અને જીવન સૃષ્ટિના સારા સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી જરૂરી છે.




Latest News