મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી મોરબીના ઘૂટું ગામેથી પસાર થતાં સ્ટેટ હાઇવેની બંને બાજુએ સ્ટ્રીટ લાઇટો મૂકવાની માંગ મોરબીમાં સ્વ. ચંદ્રકાન્ત ઠાકરના પ્રથમ શ્રાધ્ધ નિમિતે બ્રહ્મચોર્યાસી યોજાઈ મોરબીમાંથી દારૂની 4 બોટલ સાથે એક શખ્સથી ધરપકડ, અમરસર ગામની સીમમાં દેશીદારૂની ભઠ્ઠી ઉપર રેડ મોરબી નજીક આઇસરના ચાલકે હડફેટે લેતા યુવાનને છાતી-ફેફસામાં ઇજા ટંકારાના હરબટીયાળી ગામે વિકાસ કામોમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પાયા વિહોણા: સરપંચ મોરબીના રફાળેશ્વર ગામની સરકારી સ્કૂલમાં કલર કામ કરતા સમયે નીચે પટકાતા યુવાનનું મોત વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ક્યાંય સફાઈ કર્મચારી પાસે મેલું ઉપાડવાની કે અસ્વચ્છ શૌચાલય સાફ કરાવવાની કામગીરી કરાવતી નથી તેવો સર્વે કરાયો


SHARE













મોરબી જિલ્લામાં ક્યાંય સફાઈ કર્મચારી પાસે મેલું ઉપાડવાની કે અસ્વચ્છ શૌચાલય સાફ કરાવવાની કામગીરી કરાવતી નથી તેવો સર્વે કરાયો

ભારત સરકારના સુપ્રિમ કોર્ટના તા.૨૦/૧૦ ના ચુકાદા મુજબ મોરબી જિલ્લામાં ધી પ્રોહિબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ રીહેબીલીટેશન એક્ટ-૨૦૨૧૩મુજબ જિલ્લામાં હજુ પણ ક્યાંય હાથથી મેલુ ઉપાડવાનું કામ તથા અસ્વચ્છ શૌચાલય (Insanitary Latrines)ની સફાઈનું કામ થતું હોય તેને રોકવા માટે સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી અન્વયે મુજબ મોરબી જિલ્લાની તમામ નગરપાલિકા તથા તાલુકા પંચાયત દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સર્વેની કામગીરીમાં મોરબી જિલ્લામાં ક્યાંય પણ મેન્યુઅલ સ્કેવેન્જર્સ અને અસ્વચ્છ શૌચાલય (Insanitary Latrines)  જોવા મળ્યા નથી. આ સર્વે અંતર્ગત જો કોઈપણ વ્યક્તિને વાંધા હોય તો સંબંધિતોએ જિલ્લાની સંબંધિત નગરપાલિકા/તાલુકા પંચાયતમાં દિન-૦૨ માં જરૂરી આધાર પુરાવા સહિત જાણ કરવાની રહેશે. સમય મર્યાદા બાદ આ બાબતનો કોઈ વાંધો માન્ય રહેશે નહીં. જેની નોંધ લેવા અધ્યક્ષ જિલ્લા સર્વે સમિતિ તથા  જિલ્લા કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.




Latest News