મોરબીમાં વૃદ્ધે કરેલ આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીના જામીન મંજુર
SHARE








મોરબીમાં આપઘાતના ચકચારી બનાવમાં મરવા મજબુર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવતા ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તપાસ ચલાવવામાં આવી હતી જેમાં આરોપી વનરાજસિંહ તેજુભા ઝાલા દ્વારા મોરબીના વકીલ જગદીશભાઈ ઓઝા મારફત મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા ચકચારી પ્રકરણના ગુનામાં આરોપીના શરતી જામીન સેસન્સ કોર્ટે મંજુર કર્યા છે
જેમાં આરોપી તરફે મોરબીના વકીલ જગદીશ ભાઈ ઓઝા તથા ફેનિલભાઈ ઓઝા રોકાયેલ હતા જેની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા આરોપી તરફેના વકીલ જગદીશભાઈ ઓઝા એ કોર્ટમાં ધારદાર દલીલો રજુ કરી હતી તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરતા દલીલોને માન્ય રાખી સેસન્સ કોર્ટે શરતી જામીન મંજુર કર્યા છે જેમાં આરોપી તરફે મોરબીના વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, દેવ કે. જોષી, શહેનાઝબેન સુમરા તથા લેખરાજ ગઢવી રોકાયા હતા.

