મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચારનારા બાપને જેલ હવાલે મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી મોરબી નજીક જુદીજુદી બે જગ્યાએ વાહનોમાંથી 970 લિટર ડીઝલની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ મોરબી એબીવીપી દ્વારા 26 મી જાન્યુઆરી નિમિતે ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરાયું વાંકાનેરના વરડુસર ગામે આવેલ શાળામાં 26 મી જાન્યુ.એ 51 દીકરીઓએ કર્યું વૃક્ષા રોપણ મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો: વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
Breaking news
Morbi Today

મોરબીમાં મહાપાલિકાના પહેલા ખાતમહુર્તમાં ભાજપ સિવાયના પક્ષોની બાદબાકી કેમ ?: પ્રમુખપુષ્પરાજસિંહ જાડેજા


SHARE











મોરબીમાં મહાપાલિકાના પહેલા ખાતમહુર્તમાં ભાજપ સિવાયના પક્ષોની બાદબાકી કેમ ?: પ્રમુખપુષ્પરાજસિંહ જાડેજા

મોરબીમાં મહાપાલિકા ખાતમહુર્ત પ્રસંગે માત્ર ભાજપના જ આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા જેથી કરીને મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખપુષ્પરાજસિંહ જાડેજાએ મ્યુનિસિપલ કમિશ્નરને સીધો સવાલ કર્યો છે કે, હાલમાં મહાપાલિકમાં કોઈ બોડી અસ્તિત્વમાં નથી ત્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે દરેક રાજકીય પક્ષને શહેરનાં વિકાસ કામના ખાતમહુર્ત પ્રસંગે આમંત્રણ આપવામાં આવે તે જરૂરી છે.

મોરબી શહેરમાં  ઝુલતા પુલની ઘટના બની તેના કારણે મોરબી નગરપાલિકા સુપરસિડ કરવામાં આવી છે જ્યારથી પાલિકા સુપર સિડ કરવામાં આવી ત્યારથી ચૂંટાયેલ બોડી અસ્તિત્વમાં નથી અને વહીવટદાર મારફત નગરપાલિકાનું સંચાલન કરવામાં આવતું હતું પરંતુ ૧-૧-૨૦૨૫  થી મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવેલ છે અને મહાપાલિકામાં કમિશ્નરની નિમણૂક પણ કરવામાં આવેલ છે ત્યારે તાજેતરમાં શનાળા રોડે આવેલ સરદારબાગમાં બગીચાના રીનોવેશનના કામ માટે ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ સંગઠનના લોકો હાજર હતા જો કે, અન્ય કોઈ પક્ષના લોકોને બોલાવવામાં આવ્યા ન હતા. જેથી લોકશાહીમાં કીન્નાખોરી રાખવામા આવી રહી છે તેવો આક્ષેપ કરવામાં આવેલ હતો અને મોરબી શહેરમાં અન્ય રાજકીય પક્ષો પણ અસ્તિત્વ ધરાવે છે ત્યારે તેઓને પણ કમિશ્નર તરફથી આમંત્રણ આપવામાં આવે તે જરૂરી છે. હાલમાં મહાપાલિકાનું સંચાલન અધિકારી મારફત થાય છે ત્યારે દરેક રાજકીય પક્ષોને ભવિષ્યમાં કમિશ્નર દ્વારા પ્રાધાન્ય આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.






Latest News