મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાના અધિકારીએ ભાજપના આગેવાનોની હાજરીમાં કરેલ ખાતમહુર્તને લઈને આમ આદમી પાર્ટીએ માંગ્યા જવાબ


SHARE













મોરબી મહાપાલિકાના અધિકારીએ ભાજપના આગેવાનોની હાજરીમાં કરેલ ખાતમહુર્તને લઈને આમ આદમી પાર્ટીએ માંગ્યા જવાબ

હમણાં જ અસ્તિત્વમાં આવેલી મોરબી મહાનગરપાલિકા દ્વારા સરદાર બાગને અંદાજે એક કરોડના ખર્ચે નવીનીકરણ થવા જઈ રહ્યું છે જે સારી વાત છે જો કે, 30 વર્ષથી ભાજપનાં ધારાસભ્ય હોય અને મોરબી નગરપાલિકામાં ભાજપનું શાસન હતું છતાં મોરબીમાં સારાં બાગ બગીચા કે સારી સુવિધાઓ વાળું પર્યટન સ્થળ નથી. જે મોરબી માટે દુખદ બાબત છે.

મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતાની સાથે જ નવાં આવેલા કમીશ્નર દ્વારા મોરબી સરદાર બાગના નવીનીકરણની જાહેરાત કરીને ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે ત્યારે ખાતમુહુર્ત સમયે પાલિકાને સુપરસી કરવામાં આવી હતી તેના જનપ્રતિનિધિઓ અને ભાજપનાં હોદ્દેદારોને સ્ટેજ આપવામાં આવ્યું હતું જેથી કરીને આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલે તંત્રને અનેક સવાલો કર્યા છે. જેમાં શું આ સરદાર બાગનું નવીનીકરણ કરવા માટે ભાજપ કે ભાજપ વાળા ફંડ આપશે .?, જો ભાજપ વાળા ફંડ આપશે તો એમનાં પુરાવા પ્રજા સમક્ષ રજૂ કરો. ?, જો ભાજપ કે તેનાં હોદ્દેદારો ફંડ ન આપેલ હોય તો તેમને ખાતમુહૂર્ત સમયે સ્ટેજ પર કેમ બેસાડવામાં આવ્યા. ?, જો આ પ્રસંગ રાજકીય પ્રોગ્રામ હોય તો સરકારી કમીશ્નર અને બીજા સરકારી અધિકારીઓ ત્યાં કેમ હાજર હતા.?, જો ભાજપના હોદ્દેદારો રાજકીય આગેવાન તરીકે આવ્યા હતા તો આમ આદમી પાર્ટી અને બીજા પક્ષોના હોદ્દેદારોને આમંત્રણ કેમ આપવામાં આવ્યું ન હતું.? શું મોરબીમાં કમીશ્નર એક ભાજપની કઠપુતળી તરીકે કામ કરશે ? આવાં અનેક સવાલો તંત્રને પુછવામાં આવ્યાં હતાં.






Latest News