મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને 30 ટકા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી: જાનથી મારી નાખવાની ધમકી


SHARE













મોરબીમાં યુવાનને 30 ટકા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના નાની વાવડી રોડ ઉપર બાપા સીતારામની મઢુલી પાસે આવેલ ભક્તિનગરમાં રહેતા યુવાને 30 ટકા વ્યાજે રૂપિયા લીધા હતા જેની સામે અમુક રકમ ચૂકવી હોવા છતાં પણ 1.70 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી તેની પાસેથી કરવામાં આવી રહી હતી અને તેને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોડ ઉપર આવેલ બાપાસીતારામની મઢુલી પાસે ભક્તિનગરમાં રહેતા હર્ષદભાઈ મનુભાઈ કંઝારીયા (28)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કૃણાલ શાહ રહે. કાલિકા પ્લોટ દરગાહ પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તે વાવડી રોડ થી પંચાસર રોડ તરફ જવાના કાચા રસ્તે અભિનવ સ્કૂલ પાસેથી પસાર થયો હતો ત્યારે આરોપી કૃણાલ શાહ પાસેથી અગાઉ તેને એક લાખ રૂપિયા 30 ટકાના વ્યાજ લેખે લીધા હતા જેની સામે આરોપીને વ્યાજ પેટે 70,000 રૂપિયા આપેલ છે છતાં પણ તેની પાસેથી 1.70 લાખની માંગણી કરી બળજબરીપૂર્વક તેની પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી તથા ગાળો બોલીને જાનથી મારી નાખવાની તેને ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ ડિવિઝનના પીએસઆઇ એન.એ.ગઢવી ચલાવી રહ્યા છે

જાહેરનામાં ભંગનો ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની સીમમાં આવેલ રામકૃષ્ણ એન્ટરપ્રાઇ ટ્રેડિંગમાં કામ કરતાં શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી જાહેરનામાનો ટ્રેડિંગના સંચાલક કમલેશભાઈ પ્રભુભાઈ મોકાસણા રહે. આસોપાલવ સોસાયટી બોની પાર્ક પાછળ આસોપાલવ-602 રવાપર મોરબી વાળા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News