મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન


SHARE







મોરબીમાં સમસ્ત કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન

મોરબીમાં સમસ્ત કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ આગામી તા. 22/6 ના રોજ મોરબી ખાતે યોજવાનો છે જેના માટે હાલમાં વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે

મોરબી સમસ્ત કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળના જગદીશભાઈ બાંભણિયા, દિનેશભાઈ સાંથલીયા, અજયભાઈ વાઘાણી અને રાજેશભાઈ છેલાણીયા દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ આગામી તા. 22/6/2025 ના રોજ મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે કડિયા બોર્ડિંગ ખાતે રાખવામાં આવનાર છે જેના માટે વિદ્યાર્થીઓ પાસેથી હાલમાં ફોર્મ લેવામાં આવી રહ્યા છે અને તે વિદ્યાર્થીઓના ફોર્મ આગામી તા/ 10/6/25 સુધી સ્વીકારવામાં આવશે તેમજ આ સન્માન સમારોહ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા માટે ઇચ્છતા વિદ્યાર્થીઓએ વહેલી તકે આયોજકોને જાણ કરવા માટે થઈને કહેવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની વધુ માહિતી માટે જગદીશભાઈ બાંભણિયા 9106518189, દિનેશભાઈ સાથલિયા 9875014155, અજયભાઈ વાઘાણી 9909841100 અને રાજેશભાઈ છેલાણીયા 9033156664 ઉપર સંપર્ક કરવા માટે આયોજકોએ જણાવ્યું છે 






Latest News