મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા રેઈનબસેરાની બાલવાટિકામાં ભુલકાઓને સ્ટડી ટેબલ અપાયા
મોરબી જલારામ ધામ ખાતે કાલથી લોહાણા જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર શરૂ
SHARE









મોરબી જલારામ ધામ ખાતે કાલથી લોહાણા જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર શરૂ
મોરબી શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે આગામી રવિવાર તા. ૨૦ થી લોહાણા સમાજના લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્રનો શુભારંભ થશે.
વેવિશાળ માહિતી કેન્દ્ર દર રવિવારે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન કાર્યરત રહેશે.શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર તદન નિઃશુલ્ક રહેશે. વેવિશાળ કેન્દ્રનુ સંચાલન હરીશભાઈ રાજા (કાર્યવાહક પ્રમુખ: લોહાણા મહાજન-મોરબી) મો.૯૮૭૯૨ ૧૮૪૧૫, કાશ્મીરાબેન કારીયા મો.૬૩૫૩૫ ૫૦૦૯૫, પપ્પુભાઈ ચંડીભમર (પૂર્વ પ્રમુખ-શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી) મો.૯૮૭૯૩ ૫૫૪૧૦, સુનિલભાઈ પુજારા મો.૯૮૭૯૩ ૯૬૬૨૦, નરેન્દ્રભાઈ પાઁઉ મો.૯૫૭૪૦ ૮૩૧૧૧, અનિલભાઈ ગોવાણી મો.૯૦૩૩૩ ૪૮૦૬૨ દ્વારા કરવામાં આવશે. અને માહિતી કેન્દ્ર માત્ર લોહાણા સમાજના યુવક-યુવતીઓ માટે જ કાર્યરત રહેશે. લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓના વાલીઓએ દર રવિવારે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રૂબરૂ સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યું છે.

