મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબીના ત્રિમંદિર નજીક ઝેરી દવા પી ગયેલ માણેકવાડા ગામના યુવાનનું સારવારમાં મોત


SHARE













મોરબીના ત્રિમંદિર નજીક ઝેરી દવા પી ગયેલ માણેકવાડા ગામના યુવાનનું સારવારમાં મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસે ત્રિમંદિર નજીક યુવાને કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ હાથ ધરી છે

મોરબીના માણેકવાડા ગામે રહેતા હરેશભાઈ મનસુખભાઈ ચનિયારા (35) એ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ નજીક ત્રિમંદિર પાસે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક યુવાને ટેન્શનમાં આવીને આ પગલું ભરી લીધેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા રામજીભાઈ જગાભાઈ પાંચિયા (33) નામના વ્યક્તિ જોધાપર  છાત્રાલય નજીકથી રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે કૂતરૂ આડું આવતા રિક્ષા પલટી મારી ગઈ હતી અને બનાવમાં ઇજા પામેલ રામજીભાઈને સારવાર માટે મોરબીના શનાળા રોડે આવેલ નક્ષત્ર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

ઝેરી દવા પી જતાં પરિણીતા સારવારમાં

મોરબી તાલુકાના કેરળા ગામે રહેતા ઉર્વશીબા જગદીશસિંહ જાડેજા (19) નામની પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાનો લગ્ન ગાળો એક વર્ષનો હોવાનું હાલમાં સામે આવ્યું છે.




Latest News