મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના બરવાળાથી બગથળાને જોડતા રસ્તાને ડામર રોડ બનાવવા માંગ


SHARE







મોરબીના બરવાળાથી બગથળાને જોડતા રસ્તાને ડામર રોડ બનાવવા માંગ

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશનના ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલને પત્ર લખીને મોરબી જીલ્લાના મોરબી તાલુકાના બરવાળા ગામેથી બગથળા  ગામને જોડતો રોડ જે આજે આઝાદીના ૭૮ વર્ષથી પણ વધારે વર્ષો થયા હોવા છતાં  કાચો રોડ છે..! તે બનાવવા માંગ કરેલ છે.

આ રોડ ઉપર બરવાળાથી બગથળા જવા માટે લોકો તેનો  ઉપયોગ કરે છે.પરતું ચોમાસામાં આ રોડ ચાલવા લાયક હોતો નથી.બરવાળા ગામની તમામ જરૂરિયાત માટે મોટા ભાગે બગથળા ગામ ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે.જેમ કે બેંક, પોલીસ સ્ટેશન, હેલ્થ સેન્ટર અને તાલુકા શાળાના કામો માટે આ રોડ ખુબ જ અગત્યનો છેતે ઉપરાંત ખેવાળિયા, નારણકા, લુંટાવદર, પીપળીયા વગેરે ગામના લોકો બગથળા ખાતે આવેલ નકલંક ભગવાનની પ્રસિદ્ધિ જગ્યાના દર્શન માટે જવા માટે આ રોડનો ઉપયોગ કરતા હોય છે.તેથી લોકોવતી માંગણી છે કે આ રોડને તાત્કાલિક ડામર રોડ બનાવામાં આવે જો આવું કરવામાં નહી આવે તો સ્થાનિક ગામના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે તેમ પણ રજૂઆતમાં જણાવવામાં આવેલ છે.






Latest News