મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાંથી ૯ માહિનામાં ઢોર પકડ પાર્ટી દ્વારા ૨૦૩૦ પશુને પકડવામાં આવ્યા


SHARE









મોરબીમાંથી ૯ માહિનામાં ઢોર પકડ પાર્ટી દ્વારા ૨૦૩૦ પશુને પકડવામાં આવ્યા

મોરબીના લોકોને રજડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળે તેના માટે મહાપાલિકા દ્વારા ઢોર પકડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને છેલ્લા ૯ માહિનામાં મોરબીના જુદાજુદા વિસ્તારમાંથી ઢોર પકડ પાર્ટી દ્વારા ૨૦૩૦ પશુને પકડવામાં આવેલ છે અને આજની તારીખે પણ ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી છે.

મોરબી મહાનગરપાલિકાના A.N.C.D. શાખા દ્વારા નાયબ કમિશનરના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં મોરબી તાલુકાના ગૌશાળા સંચાલકો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે મીટીંગમાં નાયબ પશુપાલન નિયામક, વેટેનરી ઓફિસર, A.N.C.D. શાખાના શાખાઅધ્યક્ષ તેમજ મોરબી તાલુકાના ૧૭ ગૌશાળાના સંચાલકો હાજર રહ્યા હતા. તેમાં અંદાજીત ૨૫૦ પશુને રાખવા માટેની બાહેંધરી મળેલ હતી.

મોરબીમાં માર્ચ ૨૦૨૫ થી ડીસેમ્બર ૨૦૨૫ સુધી માં અંદાજીત ૨૦૩૦ પશુ પકડેલ છે. આ ઉપરાંત ૧૨૫૪ પશુઓનું RFID તથા ટેગિંગ કરેલ છે. અને પશુ માલિકોને પશુ રજીસ્ટ્રેશન કરવા તથા પેટ ડોગ માલિકોને પોતાના રજીસ્ટ્રેશન કરવા માટેની અપીલ કરી છે. આ ઉપરાંત ટેગ અને RFID લગાવીને મોરબી જીલ્લાની વિવિધ ગૌશાળા તથા પાંજરાપોળમાં પશુ મોકલેલ છે. અને હાલમાં પણ પશુ પકડવાની કામગીરી ચાલુ છે.






Latest News