મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સૂમસામ માર્ગ વચ્ચે માત્ર 15 ભાવિકો સાથે યોજાઈ અષાઢી બીજ શોભાયાત્રા


SHARE













(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં કોરોના અન્વયે સરકારી ગાઈડ લાઈન મુજબ મર્યાદિત ભાવિકો સાથે સૂમસામ માર્ગ પરથી અષાઢી બીજ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

રાજ્યમાં કોરોનાની સંભવતઃ ત્રીજી લહેર અનુલક્ષીને પ્રશાસન દ્વારા આ સાલ કોરોના ગાઈડ લાઈનની ચુસ્ત  અમલવારી કરાવવામાં આવી હતી, મોરબી જીલ્લા કલેક્ટર દ્વારા શોભાયાત્રા રૂટ પર સવારે 9 થી 4 દરમ્યાન કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસ તંત્ર દ્વારા આગલે દિવસે જ આ રૂટ પરનાં વેપારીઓને દુકાનો બંધ રાખવા સૂચના આપી દેવાઈ હતી, અને આજે સવારથીજ શોભાયાત્રાનાં માર્ગને  બંધ કરી દેવામાં આવ્યો હતો, અને ટ્રાફિક ડાયવર્ટ કરી દેવાયો હતો, મછુ નદી ખાતે આવેલ માતાજીની દેરીથી શોભાયાત્રાનો શાંતિ પૂર્ણ પ્રારંભ કરાયો હતો, માત્ર 15 જેટલાં ભાવિકો દ્વારા ગાઈડ લાઈન મુજબ શોભાયાત્રા યોજાઇ હતી, જોકે ભાવિકોથી વધુ પોલીસ કર્મીઓ શોભાયાત્રામાં દેખાયા હતાં, સૂમસામ માર્ગો વચ્ચે બિલકુલ સુમસામ  આવી પ્રથમ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે મછૂ માતાજી મંદિર ખાતે સંપન્ન થઈ હતી, dysp રાધિકા ભારાઈ, વાંકાનેર શહેર પી.આઈ. એચ..એન. રાઠોડ સતત હાજર રહી ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.




Latest News