મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા(મી)ના ખાખરેયા ગામે નદીમાં ન્હાવા જતાં પથ્થર વાગવાથી ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE













માળીયા(મી)ના ખાખરેયા ગામે નદીમાં ન્હાવા જતાં પથ્થર વાગવાથી ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

માળીયા તાલુકાના ખાખરેયા ગામે આવેલ નદીમાં ન્હાવા માટે પડેલ યુવાનને છાતી અને ગળાના ભાગે પથ્થર વાગવાથી તેને ગંભીર ઈજા થઈ હતી માટે તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત થયું છે જેથી કરીને બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા સોંઢાભાઈ ચનાભાઇ પાટડીયા (ઉંમર વર્ષ ૨૨) પોતાના ગામની બાજુમાં આવેલ નદીમાં નાહવા માટે પડ્યા હતા અને ત્યારે નદીમાં પડતાની સાથે જ તેને છાતી અને ગળાના ભાગે નદીમાં રહેલ પથ્થર વાગતા તેને ગંભીર ઇજાઓ થઇ હતી માટે તેઓને પ્રથમ સારવાર માટે ખાખરેચી અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ હતો જોકે યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News