મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રસૂતિની સારવાર દરમિયાન મહિલાનું મોત 


SHARE







મોરબીમાં પ્રસૂતિની સારવાર દરમિયાન મહિલાનું મોત 

મોરબીની ખાનગી હોસ્પિટલમાં એડમિટ થયેલ પ્રસુતા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના શનાળા રોડ પર આવેલ કલરવ હોસ્પિટલમાં ડો.જયેશ પનારાને ત્યાં પ્રસૂતિ માટે આવેલા જોશનાબેન ઉર્ફે જયોત્સનાબેન અમુભાઈ છૈયા જાતે આહિર (ઉમર ૩૭) રહે.નવા નાગડાવાસ (રામપર) તાલુકો જીલ્લો મોરબીનું તા.૧૯-૮ ના સાંજના પોણા સાતેક વાગ્યાના અરસામાં પ્રસુતિની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે નોંધ કરવામાં આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહિલે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબી નજીકના જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના મોરાણા ગામે રહેતી મીનાબેન પ્રતાપભાઈ ચવાટીયા નામની ૩૮ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર તેના ઘરે ફિનાઇલ પી લેતા ગત મોડીરાત્રીના અહિંની મંગલમ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહિલે પ્રાથમિક તપાસ કરી હતી.જ્યારે મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ કુબેરનાથ શેરીમાં રહેતો ફાજુભાઇ ઉર્ફે ફૈઝલ તારમામદભાઇ ગોપલાણી મુસ્લિમ (૪૫) નામનો યુવાન મોરબીની નવયુગ કાપડની દુકાન પાસે હતો ત્યાં મારામારીના બનેલા બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા ફાજુભાઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીની ઘાંચી શેરીમાં રહેતા દાઉદભાઈ સુલેમાનભાઈ ઉમરેટિયા નામના ૬૯ વર્ષીય વૃદ્ધ બાઇક લઇને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. બાઈક સ્લીપ થઈ જવાના કારણે જમણા હાથના ભાગે ઈજાગ્રસ્ત થયેલા દાઉદભાઈ ઉમરેટીયાને અહિંની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.તેમજ મોરબી નજીકના ચરાડવા ગામે ઘનશ્યામભાઈ સોનગરાની વાડી રહીને મજૂરીકામ કરતાં જેલુંભાઇ નાયકરામ બાંમણીયા આદિવાસી નામના ૩૦ વર્ષના યુવાનને મજુરી કામ દરમ્યાનમાં સાપ કરડી ગયો હોય તેને ચરાડવા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધા બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે વધુ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News