મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની શ્રધ્ધા સોસાયટીમાં મકાન ઉપર કબ્જો કરનાર બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ


SHARE











મોરબીની શ્રધ્ધા સોસાયટીમાં મકાન ઉપર કબ્જો કરનાર બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

રાજકોટના યુવાનનું શ્રધ્ધા સોસાયટીમાં પ્લોટ નંબર- ૨૧ ઉપર મકાન આવેલ છે જેના ઉપર બે શખ્સો દ્વારા વર્ષ ૨૦૧૭ થી કબ્જો કરી લેવામાં આવેલ છે જેથી યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલમાં લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ વેલનાથ ચોક ગોવીંદનગર શેરી નંબર-૧ સોરઠીયા પ્રજાપતીની વાડી પાસે રહેતા રમેશભાઇ બીજલભાઇ મકવાણા જાતે આહીર (ઉ.૪૨)એ હાલમાં નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાણા અને જયપાલસિંહ મહેન્દ્રસિંહ રાણા રહે. બન્ને મોટા રામપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે, જુલાઇ ૨૦૧૭ થી આજ દિન સુધી મોરબી તાલુકાના અમરેલી ગામના સર્વે નંબર-૧૪૧ ની શ્રધ્ધા સોસાયટીમાં પ્લોટ નંબર- ૨૧ ઉપર આરોપીઓએ ફરીયાદીની માલીકીનુ રહેણાંક હેતુ માટે મકાન આવેલ છે જેના ઉપર કબ્જો કરી લીધેલ છે અને તેનો વપરાશ કરી જમીન પચાવી પાડી છે જેથી કરીને યુવાનની ફરિયાદ લઈને પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૧) (૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News