માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની શ્રધ્ધા સોસાયટીમાં મકાન ઉપર કબ્જો કરનાર બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ


SHARE













મોરબીની શ્રધ્ધા સોસાયટીમાં મકાન ઉપર કબ્જો કરનાર બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

રાજકોટના યુવાનનું શ્રધ્ધા સોસાયટીમાં પ્લોટ નંબર- ૨૧ ઉપર મકાન આવેલ છે જેના ઉપર બે શખ્સો દ્વારા વર્ષ ૨૦૧૭ થી કબ્જો કરી લેવામાં આવેલ છે જેથી યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલમાં લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ વેલનાથ ચોક ગોવીંદનગર શેરી નંબર-૧ સોરઠીયા પ્રજાપતીની વાડી પાસે રહેતા રમેશભાઇ બીજલભાઇ મકવાણા જાતે આહીર (ઉ.૪૨)એ હાલમાં નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાણા અને જયપાલસિંહ મહેન્દ્રસિંહ રાણા રહે. બન્ને મોટા રામપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે, જુલાઇ ૨૦૧૭ થી આજ દિન સુધી મોરબી તાલુકાના અમરેલી ગામના સર્વે નંબર-૧૪૧ ની શ્રધ્ધા સોસાયટીમાં પ્લોટ નંબર- ૨૧ ઉપર આરોપીઓએ ફરીયાદીની માલીકીનુ રહેણાંક હેતુ માટે મકાન આવેલ છે જેના ઉપર કબ્જો કરી લીધેલ છે અને તેનો વપરાશ કરી જમીન પચાવી પાડી છે જેથી કરીને યુવાનની ફરિયાદ લઈને પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૧) (૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News