મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરામાં બંધ મકાનમાથી રોકડ-દાગીના મળીને ૯૬૦૦૦ના મુદામાલની ચોરી


SHARE













વાંકાનેરના જીનપરામાં બંધ મકાનમાથી રોકડ-દાગીના મળીને ૯૬૦૦૦ના મુદામાલની ચોરી

વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રોકડિયા હનુમાન મંદિરની પાછળના ભાગમાં આવેલ બંધ મકાનમાં પ્રવેશ કરીને અજાણ્યા શખ્સો રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેના ઘરમાંથી ૯૬ હજાર રૂપિયાના મુદ્દામાલ ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેને તરત જ શરૂ કરે છે 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ કર્ણાટકના હુબલી તાલુકાના મયુરનગરના રહેવાસી અને હાલમાં વાકાનેર જીનપરા વિસ્તારમાં રોકડીયા હનુમાન મંદિરની પાસે વિજયભાઈ રાઠોડના શ્રીહરિ નામના મકાનની અંદર રહેતા ઇરાન્ના ચંદ્રશેખર ખુદશદ જાતે હિન્દુ બાવાજી (ઉંમર વર્ષ ૫૦)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના મકાનની છત ઉપરથી સીડી વડે ઘરમાં પ્રવેશ કરીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેઓના કબાના ખાનામાંથી રોકડા રૂપિયા ૧૫૦૦૦ તેમજ સોનાની ચેન ૪૭ હજાર રૂપિયાની કિંમતની અને સોનાનું બ્રેસલેટ ૩૪૦૦૦ ની કિંમત આમ સોનાના દાગીના અને રોકડ રકમ થઇને કુલ ૯૬૦૦૦ ની ચોરી કરવામાં આવે છે જેથી કરીને હાલમાં વાંકાનેર સીટી પોલીસે ભોગ બનેલા આધેડની ફરિયાદ લઈને આરોપીને પકડવામાં તજવીજ શરૂ કરી છે






Latest News