માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરામાં બંધ મકાનમાથી રોકડ-દાગીના મળીને ૯૬૦૦૦ના મુદામાલની ચોરી


SHARE

















વાંકાનેરના જીનપરામાં બંધ મકાનમાથી રોકડ-દાગીના મળીને ૯૬૦૦૦ના મુદામાલની ચોરી

વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રોકડિયા હનુમાન મંદિરની પાછળના ભાગમાં આવેલ બંધ મકાનમાં પ્રવેશ કરીને અજાણ્યા શખ્સો રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેના ઘરમાંથી ૯૬ હજાર રૂપિયાના મુદ્દામાલ ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેને તરત જ શરૂ કરે છે 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ કર્ણાટકના હુબલી તાલુકાના મયુરનગરના રહેવાસી અને હાલમાં વાકાનેર જીનપરા વિસ્તારમાં રોકડીયા હનુમાન મંદિરની પાસે વિજયભાઈ રાઠોડના શ્રીહરિ નામના મકાનની અંદર રહેતા ઇરાન્ના ચંદ્રશેખર ખુદશદ જાતે હિન્દુ બાવાજી (ઉંમર વર્ષ ૫૦)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના મકાનની છત ઉપરથી સીડી વડે ઘરમાં પ્રવેશ કરીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેઓના કબાના ખાનામાંથી રોકડા રૂપિયા ૧૫૦૦૦ તેમજ સોનાની ચેન ૪૭ હજાર રૂપિયાની કિંમતની અને સોનાનું બ્રેસલેટ ૩૪૦૦૦ ની કિંમત આમ સોનાના દાગીના અને રોકડ રકમ થઇને કુલ ૯૬૦૦૦ ની ચોરી કરવામાં આવે છે જેથી કરીને હાલમાં વાંકાનેર સીટી પોલીસે ભોગ બનેલા આધેડની ફરિયાદ લઈને આરોપીને પકડવામાં તજવીજ શરૂ કરી છે




Latest News