મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાએ રાજકોટ ખસેડાતા રસ્તામાં વિરપર નજીક મોત


SHARE







માળીયા (મી)ના ખાખરેચી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાએ રાજકોટ ખસેડાતા રસ્તામાં વિરપર નજીક મોત

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતી અને મજૂરી કામ કરતી મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબીની સરકારી હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના પીપળીધરાના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે હિતેશભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દલપતભાઈ પરમારના પત્ની અનિતાબેન પરમાર (ઉમર ૨૦) એ કોઈ કારણોસર ગઈકાલે બપોરના એકાદ વાગ્યાના અરસામાં વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેમને તાત્કાલિક જેતપર સીએચસી ખાતે લઈ જવાયા હતા જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ હાલત નાજુક ગણાતા રાજકોટ ખસેડવા જણાવ્યું હતું અને રાજકોટ લઈ જતા સમયે રસ્તામાં મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલા વીરપર ગામ પાસે રસ્તામાં જ તેઓનું મોત નીપજ્યું હતું.જેથી મૃતક અનિતાબેનના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેણીને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્રારા બાદમાં માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા
મોરબી નજીકના લાલપર ગામે રહેતા ભગવાનજીભાઈ બાલુભાઈ સાવરીયા (૨૯) નામના યુવાનને ત્યાં પ્લે હાઉસ પાસે મારામારીના બનાવમાં ઇજા થઇ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જશપાલસિંહ ચલાવી રહ્યા છે
 
અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સીરામીક સીટી ખાતે રહેતો દિશાંત કિશોરભાઈ નસીત (૨૫) નામનો યુવાન મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયાળી કેનાલ પાસેથી પસાર થતો હતો ત્યારે ફોરવ્હીલ ગાડી નો ઓવરટેક કરવા જતા રસ્તા ઉપર તે પડી ગયો હતો અને ઈજા થવાના કારણે તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે





Latest News