મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ માટે કાલે મતદાન, 3 ઉમેદવાર મેદાનમાં: સાંજે ફેંસલો મોરબીમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે 21મી માર્ચે વુમન્સ લીડરશીપ કોન્કલેવ મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ મોરબીના પાનેલી ગામે ભારે પવનના લીધે ઝાડ ઉપરથી પપૈયા ખરી પડ્યા ટંકારા અને મોરબી વિસ્તારમાં વિદેશી દારૂની 4 રેડમાં 112 બોટલ દારૂ ઝડપાયો ટંકારાના છતર ગામે માવતરના ઘરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે હેરાન કરતાં પતિ સહિત 5 સામે ફરિયાદ વાંકાનેરના લિંબાળા ગામે ઘરમાં જુગારની રેડ કરતાં 1.53 લાખના મુદામાલ સાથે 7 પકડાયા: એક ફરાર મોરબીમાં ધક્કાવાળી મંદિર નજીક એસટી બસના ચાલકે હડફેટે લેતા આધેડને માથામાં ઇજા અને પગમાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના નોટરીએ લોકસભાના પરિણામ પહેલા શનિવારે કહેલ આંકડા મુજબ જ ભાજપને બેઠકો મળી !


SHARE













મોરબીના નોટરીએ લોકસભાના પરિણામ પહેલા શનિવારે કહેલ આંકડા મુજબ જ ભાજપને બેઠકો મળી !

લોકસભા ચુંટણીના પરિણામ જાહેર થઇ ચુક્યા છે અને તમામ એક્ઝીટ પોલ ખોટા સાબિત થયા છે અને કોઈએ ધાર્યું ન હતું તેવું પરિણામ આવેલ છે જો કે, મોરબીમાં રહેતા નોટરી સંજયસિંહ ઝાલાએ ગત શનિવારે કહ્યું હતું કે, ભાજપને ૨૧૦ થી ૨૪૫ બેઠકો મળશે તે તેમનું અનુમાન સાચું સાબિત થયું છે.

મોરબીના પીપળી ગામે રહેતા પીઢ કોંગ્રેસી અને નોટરી સંજયસિંહ ઝાલાને ગત શનિવારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને વ્હોટસ એપથી મેસેજ કરીને કહ્યું હતું કે, ભાજપને ૨૧૦ થી ૨૪૫ બેઠકો મળશે અને નીતીશકુમર તેમજ ચંદ્રબાબુ નાયડુ કિંગ મેકર બનશે જે વાત જાહેર કરવામાં આવેલ પરિણામમાં સાચી સાબિત થઇ છે તેમજ તેઓએ ઓડીશા અને આંધ્રપ્રદેશ વિધાનસભા ચુંટણી અંગે કરેલી ભવિષ્યવાણી પણ સાચી સાબિત થયેલ છે આમ સંજયસિંહે બંને ચૂંટણીનાં પરિણામમાં ભાજપ માટે જેટલી બેઠકો ધારી હતી તેટલી જ બેઠકો ભાજપને આવેલ છે અને તમામ એક્ઝીટ પોલ ખોટા સાબિત થયા છે.




Latest News