ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીના ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી ટંકારાના નેકનામ ગામે વાડી પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના નોટરીએ લોકસભાના પરિણામ પહેલા શનિવારે કહેલ આંકડા મુજબ જ ભાજપને બેઠકો મળી !


SHARE

















મોરબીના નોટરીએ લોકસભાના પરિણામ પહેલા શનિવારે કહેલ આંકડા મુજબ જ ભાજપને બેઠકો મળી !

લોકસભા ચુંટણીના પરિણામ જાહેર થઇ ચુક્યા છે અને તમામ એક્ઝીટ પોલ ખોટા સાબિત થયા છે અને કોઈએ ધાર્યું ન હતું તેવું પરિણામ આવેલ છે જો કે, મોરબીમાં રહેતા નોટરી સંજયસિંહ ઝાલાએ ગત શનિવારે કહ્યું હતું કે, ભાજપને ૨૧૦ થી ૨૪૫ બેઠકો મળશે તે તેમનું અનુમાન સાચું સાબિત થયું છે.

મોરબીના પીપળી ગામે રહેતા પીઢ કોંગ્રેસી અને નોટરી સંજયસિંહ ઝાલાને ગત શનિવારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને વ્હોટસ એપથી મેસેજ કરીને કહ્યું હતું કે, ભાજપને ૨૧૦ થી ૨૪૫ બેઠકો મળશે અને નીતીશકુમર તેમજ ચંદ્રબાબુ નાયડુ કિંગ મેકર બનશે જે વાત જાહેર કરવામાં આવેલ પરિણામમાં સાચી સાબિત થઇ છે તેમજ તેઓએ ઓડીશા અને આંધ્રપ્રદેશ વિધાનસભા ચુંટણી અંગે કરેલી ભવિષ્યવાણી પણ સાચી સાબિત થયેલ છે આમ સંજયસિંહે બંને ચૂંટણીનાં પરિણામમાં ભાજપ માટે જેટલી બેઠકો ધારી હતી તેટલી જ બેઠકો ભાજપને આવેલ છે અને તમામ એક્ઝીટ પોલ ખોટા સાબિત થયા છે.




Latest News