મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીના નોટરીએ લોકસભાના પરિણામ પહેલા શનિવારે કહેલ આંકડા મુજબ જ ભાજપને બેઠકો મળી !


SHARE









મોરબીના નોટરીએ લોકસભાના પરિણામ પહેલા શનિવારે કહેલ આંકડા મુજબ જ ભાજપને બેઠકો મળી !

લોકસભા ચુંટણીના પરિણામ જાહેર થઇ ચુક્યા છે અને તમામ એક્ઝીટ પોલ ખોટા સાબિત થયા છે અને કોઈએ ધાર્યું ન હતું તેવું પરિણામ આવેલ છે જો કે, મોરબીમાં રહેતા નોટરી સંજયસિંહ ઝાલાએ ગત શનિવારે કહ્યું હતું કે, ભાજપને ૨૧૦ થી ૨૪૫ બેઠકો મળશે તે તેમનું અનુમાન સાચું સાબિત થયું છે.

મોરબીના પીપળી ગામે રહેતા પીઢ કોંગ્રેસી અને નોટરી સંજયસિંહ ઝાલાને ગત શનિવારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને વ્હોટસ એપથી મેસેજ કરીને કહ્યું હતું કે, ભાજપને ૨૧૦ થી ૨૪૫ બેઠકો મળશે અને નીતીશકુમર તેમજ ચંદ્રબાબુ નાયડુ કિંગ મેકર બનશે જે વાત જાહેર કરવામાં આવેલ પરિણામમાં સાચી સાબિત થઇ છે તેમજ તેઓએ ઓડીશા અને આંધ્રપ્રદેશ વિધાનસભા ચુંટણી અંગે કરેલી ભવિષ્યવાણી પણ સાચી સાબિત થયેલ છે આમ સંજયસિંહે બંને ચૂંટણીનાં પરિણામમાં ભાજપ માટે જેટલી બેઠકો ધારી હતી તેટલી જ બેઠકો ભાજપને આવેલ છે અને તમામ એક્ઝીટ પોલ ખોટા સાબિત થયા છે.






Latest News