મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતોને વિજલાઇનના વળતર બાબતે ધારાસભ્યો-સાંસદની સીએમ-ઉર્જા મંત્રીને રજૂઆત: 10 દિવસમાં પ્રશ્ન ઉકેલવાની ખાતરી


SHARE













મોરબી જિલ્લાના ખેડૂતોને વિજલાઇનના વળતર બાબતે ધારાસભ્યો-સાંસદની સીએમ-ઉર્જા મંત્રીને રજૂઆત: 10 દિવસમાં પ્રશ્ન ઉકેલવાની ખાતરી

ગાંધીનગર ખાતે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ તથા કેબીનેટ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના કાર્યાલય ખાતે પાવર ગ્રીડ 765 કેવી ના અધિકારીઓ સાથે મિટિંગ કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાના ધારાસભ્યો તેમજ સુરેન્દ્રનગરના સાંસદ અને સ્થાનિક ખેડૂતો સહિતના હાજર રહ્યા હતા અને ખેડૂતોના વળતર બાબતે રજૂઆત કરી હતી. ત્યારે 10 દિવસમાં પ્રશ્ન ઉકેલવાની અધિકારી અને કંપનીના માણસોએ ખાતરી આપેલ છે.

મોરબી જિલ્લાના માળિયા અને હળવદ તાલુકાના ખેડૂતોના જમીનમાંથી નીકળતી વીજલાઇનના વળતર સંદર્ભે યોગ્ય રજૂઆત કરવામાં આવી હતી તેમજ તેના નિરાકરણ માટે ઊર્જા વિભાગના અધિકારીઓને સૂચનો કર્યા હતા. આ તકે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરા, મોરબી માળિયાના ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, મોરબી સંગઠનના હોદેદારો તથા મોરબી જિલ્લા પંચાયત સદસ્ય મહેશ પારેજીયા, ઘાંટીલા સરપંચ ઉમેશભાઈ જાકાસણીયા, વેજલપરના સરપંચ હરેશભાઈ કૈલા, વેજલપરના મહેશભાઈ કૈલા (મારૂતી), નંદલાલભાઈ કૈલા, નિતિનભાઈ કૈલા સહિતના હાજર રહ્યા હતા અને ત્યારે ખેડૂતોના પ્રશ્ર્નોનો ઝડપથી સંતોષકારક ૧૦ દિવસમાં નિકાલ કરવામાં આવશે. તેવું અધિકારી જણાવ્યુ છે.




Latest News