મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

ઢોરનો આતંક: મોરબીમાં બાઇક આડે ખુટિયો આવતા પાલિકાના માજી ચેરમેન અને તેના પત્નીને ફેકચર


SHARE













ઢોરનો આતંક: મોરબીમાં બાઇક આડે ખુટિયો આવતા પાલિકાના માજી ચેરમેન અને તેના પત્નીને ફેકચર

મોરબી શહેરના મુખ્ય માર્ગો તેમજ હાઇવે રોડ ઉપર રજડતા ઢોરનો ત્રાસ દિવસ અને દિવસે વધી રહ્યો છે તેવામાં મોરબી નગરપાલિકાના માજી ચેરમેન તેઓના પત્ની સાથે ડબલ સવારી બાઈકમાં બાયપાસ રોડ ઉપરથી પસાર થતા હતા અને તેઓના બાઈકની આડે ખુટિયો આવ્યો હતો જેથી  અકસ્માત થયો હતો. જેમાં મોરબી નગરપાલિકાના માજી ચેરમેન તથા તેના પત્નીને ફેક્ચર જેવી ઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્ત બંને વ્યક્તિને સારવાર માટે લઈ ગયા હતા અને મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર જે રજડતા ઢોરનો ત્રાસ છે. અને તે દિવસે દિવસે વધી રહ્યો છે તેમાંથી લોકોને ક્યારેય મુક્તિ મળશે તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.

મોરબીવાસીઓને રજડતા ઢોરના ત્રાસમાંથી કાયમી ધોરણે મુક્તિ આપવાની મોટી મોટી વાતો કરીને જે તે સમયે મોરબી નગરપાલિકા દ્વારા પંચાસર રોડ ઉપર નંદીઘર બનાવવામાં આવ્યું હતું અને કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નંદીઘર બનાવવામાં આવ્યું તેમ છતાં પણ મોરબી શહેરના મુખ્ય માર્ગો ઉપર ત્યારે પણ રજડતા ઢોરનો ત્રાસ હતો અને આજની તારીખે પણ મોરબી શહેરના મુખ્ય માર્ગ, મુખ્ય ચોક અને આજુબાજુના હાઇવે રોડ ઉપર રજડતા ઢોરનો ત્રાસ છે જેના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા હોય છે આટલું જ નહીં પરંતુ આ રજળતા ઢોર જ્યારે યુદ્ધે ચડે ત્યારે તેની શેરી અને ગલીમાં પાર્ક કરેલા લોકોના વાહનોને પણ નુકસાન થતું હોય છે, રાહદારીઓને હડફેટે લે તો તેઓને ઈજા થતી હોય છે. આવી અનેક ઘટનાઓ મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા દિવસોમાં બનેલી છે તેવામાં જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નગરપાલિકાના માજી ચેરમેન હર્ષદભાઈ કંઝારીયા અને તેઓના પત્ની પ્રેમીલાબેન કંઝારીયા બાઈક ઉપર મોરબીના બાયપાસ રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે તેઓના બાઈકની આડે ખુટિયો આવ્યો હતો જેથી તેની સાથે બાઈક અથડાયું હતું અને અકસ્માત થયો હતો જેમાં બંનેને ફેકચર જેવી ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

વધુમાં જાણવા મળતી માહિતી મુજબ હર્ષદભાઈ તેઓના પત્ની સાથે મોરબી શહેરમાં ખરીદી કરવા અને દવાખાનાના કામથી આવ્યા હતા અને તેઓ પોતાનું કામ પૂરું કરીને સનાળા રોડ ઉપર થઈને મોરબીના બાયપાસ રોડે ગયા હતા અને ત્યાંથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે બાયપાસ રોડ ઉપર આવેલ અમી પેલેસની સામેના ભાગમાં તેઓના બાઈકની આડે ખુટિયો આવ્યો હતો. જેથી બાઇક તેની સાથે અથડાતાં તેઓને ડાબા પગમાં ઢીંચણના ભાગે ફેક્ટર અને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હતી તેમજ તેના પત્નીને હાથની આંગળીમાં ફેક્ચર જેવી ઈજા થયેલ હતી જેથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં રજડતા ઢોરનો ત્રાસ છે પરંતુ નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાના કામો સારી રીતે કરવામાં આવતા નથી. ત્યારે આ રજડતા ઢોરને પીડામાંથી મોરબીના લોકોને પાલિકા મુક્તિ અપાવશે તેવી કલ્પના કરવી તે પણ અતિશયોક્તિ છે.




Latest News