વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર મોરબીના જાંબુડિયા પાસે ઝૂંપડાંમાંથી દારૂની 23 બોટલ ઝપડાઈ, આરોપીની શોધખોળ: નવાગામ પાસે દેશી દારૂની ભઠ્ઠી સાથે બે શખ્સ પકડાયા મોરબી નજીક હોટલ પાસે જીવલેણ હુમલાના બનાવમાં સામાપક્ષેથી શાહરૂખે પણ ફાયરિંગ કર્યું હોવાનો ધડાકો મોરબી: પરિણીતાને ફોનમાં મેસેજ કરનાર યુવાનની છરીના ઘા ઝીંકીને કરી હત્યા, 2 સામે ફરિયાદ ભુજના માધાપર ગામે રહેતા ટ્રાન્સપોર્ટર સાથે 46.90 લાખની ઠગાઈના ગુનામાં મોરબીની આંગડિયા પેઢીનો માલિક પકડાયો મોરબીમાં જૈન પ્લોટ પૌષધ શાળા ખાતે શ્રી મુનિસુવ્રત સ્વામીના જાપ-આરાધનાનો કાર્યક્રમ યોજાયો લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ડાયાબિટીસ-બીપી ચેક અપ કેન્દ્ર ખુલ્લુ મુકાયું
Breaking news
Morbi Today

મોરબીમાં છાતીમાં દુખાવા બાદ ઉલ્ટી થતા બેભાન હાલતમાં યુવાનનું મોત


SHARE













મોરબીમાં છાતીમાં દુખાવા બાદ ઉલ્ટી થતા બેભાન હાલતમાં યુવાનનું મોત

મોરબીમાં થોડા દિવસ પહેલા બનાવ બન્યો હતો.જેમાં કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા યુવાનને મોડીરાત્રીના જમીને સુતા બાદ છાતીમાં દુખાવો ઉપાડ્યો પડ્યો હતો અને બાદમાં ઉલટી થયા બાદ તેને દવાખાને લઈ જવાતા ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા મેટ્રોવર્લ્ડ સીરામીક નામના યુનિટના લેબર કવાટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા વિજયસિંહ હુકમસિંહ સોલંકી (ઉમર ૩૩) નામનો યુવાન તા.૩૦-૯ ના રાત્રિના જમીને સૂતો હતો.ત્યારબાદ તેને રાત્રી દરમિયાન છાતીમાં દુખાવો પડ્યો હતો અને બાદમાં ઉલટી થઈ હતી.જેથી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યાં તા.૧-૧૦ ના રાત્રિના અઢી વાગ્યાના અરસામાં વિજયસિંહ સોલંકી નામના યુવાનનું હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાંથી યાદી આવતા હાલ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના વી.ડી.ખાચર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

ખાણ ખનીજ સંદર્ભે કાર્યવાહી

 મોરબીના મામલતદાર નિખિલ મહેતા તથા સ્ટાફ દ્વારા થોડા દિવસો પહેલા બે જગ્યાએ વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યાં રવિરાજ ચોકડી પાસેથી અને ત્રાજપર ચોકડી પાસેથી નીકળેલ બે વાહનો કે જેમાં ખનીજ ચોરી થતી હોવાનું સામે આવતા ટ્રક નંબર જીજે ૩૭ ટી ૭૭૩૬ ડ્રાઇવર પારસ પુંજા ડાંગરના કબજામાંથી ખનીજ અને વાહન મળી ૪૫ લાખનો મુદ્દામાલ તેમજ ટ્રક નંબર જીજે ૧૩ કેએચ ૮૨૮૮ ડ્રાઈવર રાજુભાઈ ભાંભર રહે.દલડી થાનગઢ ના  કબજામાંથી ટ્રક તથા ખનીજ મળી ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને દંડ વસૂલવાની કાર્યવાહી માટે તાલુકા પોલીસ હવાલે કરાયા હતા.જ્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા બ્લેક ટ્રેપ ખનીજ ભરેલ ટ્રક નંબર જીજે ૧૨ બીટી ૯૦૩૨ ના ચાલક રાણા અરજણભાઈ રબારીને અટકાવીને તેના વાહનમાં ભરેલ ખનીજ બાબતે પૂછતા સામે આવ્યું હતું કે તેની પાસે આધાર પુરાવા ન હોય દંડ વસૂલવા વાહન તાલુકા પોલીસ હવાલે કરાયું હતું.

મારામારીમાં ઇજા

મોરબીના રફાળેશ્વર પાસે આવેલ વરૂડી માતા મંદિર પાસે રહેતા સાગર રમેશભાઈ કાનાણી નામના ૨૮ વર્ષના યુવાનને તેના ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે અત્રેની સીવીલએ લાવવામાં આવ્યો હતો.જ્યારે મૂળ ઉત્તરપ્રદેશનો અને હાલ મોરબીમાં રહીને મજૂરી કામ કરતો આલોકનાથ બૈજનાથ મૌર્ય (ઉમર ૨૨) નામનો યુવાન બાયકમાં બેસીને પીપળી રોડ ઉપરથી જતો હતો ત્યાં પેટ્રોલ પંપ સામે બાઈમાંથી નીચે પડી જતા ઇજા પામતા ખાનગી હોસ્પિટલએ સારવારમાં લઈ જવાયો હતો બનાવ અંગે સ્ટાફના વિજયભાઈ ડાંગરે તપાસ કરી હતી.






Latest News