મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી ચોમેર સમસ્યાઓથી ઘેરાયેલ હોય કમિશ્નર ગુજરાતમાં નગરને નવી ઓળખ અપાવે તેવી અપેક્ષા: કે.ડી.બાવરવા


SHARE













મોરબી ચોમેર સમસ્યાઓથી ઘેરાયેલ હોય કમિશ્નર ગુજરાતમાં નગરને નવી ઓળખ અપાવે તેવી અપેક્ષા: કે.ડી.બાવરવા

મોરબીના લોકો છેલ્લા ઘણા વર્ષોથી અનેક સમસ્યાઓથી ઘેરાયેલ છે ત્યારે કમિશ્નર પાસે ઘણી અપેક્ષા હોય તે સ્વાભાવિક છે ત્યારે ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી દ્વારા કમિશ્નરને કેટલા સૂચનો લોકોની સુખાકારી માટે કરવામાં આવેલ છે અને ધૂળીયા નગર તરીકે ગુજરાતમાં જાણીતા મોરબીને પહેલા કમિશ્નર નવી ઓળખ અપાવશે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.

મોરબીમાં રહેતા ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ કમિશ્નરને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, સરકારે અનેક વાયદાઓ પછી મોરબીને કોપોરેશન આપેલ છે અને કમીશ્નરની પણ નિમણૂક કરવામાં આવેલ છે. ત્યારે મોરબીના લોકોને કઈ કઈ સમસ્યા છે તેની માહિતી તો મળી જ હશે. આ મોરબી શહેર સિરામિક માટે જગ વિખ્યાત છે અને ટેક્સ ભરવામાં પણ પહેલા નંબરે આવે છે જો કે આ નગર ધૂળીયા નગર તરીકે ગુજરાતમાં જાણીતું થઈ ગયેલ છે. આ મોરબીમાં અગાઉ ડામર રોડ તો ઠીક પરંતુ સિમેન્ટ  કોન્ક્રેટ રોડ પણ બે વર્ષથી વધારે ટકતા નથી. તેવું કામ લોકોએ આગાઉ જોયેલું છે. આજની તારીખે લોકોને ટ્રાફિક, રાખતા ઢોર, જન્મ તારીખ દાખલા સહિતની અનેક સમસ્યાઓ સહન કરવી પડે છે. ત્યારે મહાપાલિકાના કમિશ્નર પાસે લોકોને ઘણી અપેક્ષાઓ છે અને રાજકોટના પૂર્વે  કમીશ્નર જગદીશન દ્વારા જે રીતે કામ કરવામાં આવ્યું હતું તેવી જ રીતે દબાણ દૂર કરવા સહિતની કામગીરી આપના દ્વારા કરવામાં આવે તે જરૂરી છે.






Latest News