મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું
Breaking news
Morbi Today

મોરબી ચોમેર સમસ્યાઓથી ઘેરાયેલ હોય કમિશ્નર ગુજરાતમાં નગરને નવી ઓળખ અપાવે તેવી અપેક્ષા: કે.ડી.બાવરવા


SHARE











મોરબી ચોમેર સમસ્યાઓથી ઘેરાયેલ હોય કમિશ્નર ગુજરાતમાં નગરને નવી ઓળખ અપાવે તેવી અપેક્ષા: કે.ડી.બાવરવા

મોરબીના લોકો છેલ્લા ઘણા વર્ષોથી અનેક સમસ્યાઓથી ઘેરાયેલ છે ત્યારે કમિશ્નર પાસે ઘણી અપેક્ષા હોય તે સ્વાભાવિક છે ત્યારે ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી દ્વારા કમિશ્નરને કેટલા સૂચનો લોકોની સુખાકારી માટે કરવામાં આવેલ છે અને ધૂળીયા નગર તરીકે ગુજરાતમાં જાણીતા મોરબીને પહેલા કમિશ્નર નવી ઓળખ અપાવશે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.

મોરબીમાં રહેતા ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ કમિશ્નરને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, સરકારે અનેક વાયદાઓ પછી મોરબીને કોપોરેશન આપેલ છે અને કમીશ્નરની પણ નિમણૂક કરવામાં આવેલ છે. ત્યારે મોરબીના લોકોને કઈ કઈ સમસ્યા છે તેની માહિતી તો મળી જ હશે. આ મોરબી શહેર સિરામિક માટે જગ વિખ્યાત છે અને ટેક્સ ભરવામાં પણ પહેલા નંબરે આવે છે જો કે આ નગર ધૂળીયા નગર તરીકે ગુજરાતમાં જાણીતું થઈ ગયેલ છે. આ મોરબીમાં અગાઉ ડામર રોડ તો ઠીક પરંતુ સિમેન્ટ  કોન્ક્રેટ રોડ પણ બે વર્ષથી વધારે ટકતા નથી. તેવું કામ લોકોએ આગાઉ જોયેલું છે. આજની તારીખે લોકોને ટ્રાફિક, રાખતા ઢોર, જન્મ તારીખ દાખલા સહિતની અનેક સમસ્યાઓ સહન કરવી પડે છે. ત્યારે મહાપાલિકાના કમિશ્નર પાસે લોકોને ઘણી અપેક્ષાઓ છે અને રાજકોટના પૂર્વે  કમીશ્નર જગદીશન દ્વારા જે રીતે કામ કરવામાં આવ્યું હતું તેવી જ રીતે દબાણ દૂર કરવા સહિતની કામગીરી આપના દ્વારા કરવામાં આવે તે જરૂરી છે.






Latest News