મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના ત્રિલોકધામ મંદિરે યોજાયેલ કેમ્પનો ૧૪૦ થી વધુ દર્દીઓને લાભ મળ્યો


SHARE













મોરબીના ત્રિલોકધામ મંદિરે યોજાયેલ કેમ્પનો ૧૪૦ થી વધુ દર્દીઓને લાભ મળ્યો

ડો.હસ્તીબેન મહેતા ના એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.અહિંના જયંતીભાઈ જેરાજભાઈ સેરસીયાના આર્થિક યોગદાન દ્વારા ત્રિલોક ધામ કુબેરનગરમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.ત્યારે જયંતીભાઈ અને તેમના પત્ની ઉષાબેન પણ કેમ્પમાં હાજર રહ્યા હતા.આ કેમ્પમાં ત્રિલોક ધામના પ્રમુખ પ્રશાંતભાઇ મેહતા, મંત્રી કિશોરભાઈ પાટડિયા, ખજાનચી લખમણભાઈ કંઝરિયાના સુંદર  આયોજનથી ૧૪૦ થી પણ વધુ દર્દીઓને  લાભ મળ્યો હતો.

જેની નામ નોંધણી બિંદુબેન રાવલે કરૂ હતી.જયારે કૌશીકા રાવલે વજન કર્યું હતુ અને ૮૦ થી વધુ દર્દીઓનું બીપી કેતનભાઈ મેહતાએ ચેક કર્યું હતુ.તેમજ આંખના ડો.સુરેશભાઈ કાલરીયાએ ૫૦ વધુ દર્દીઓની આંખના નંબર ચેક કરીને જરૂરી સારવાર આપી.સાથે જયસુખભાઈ ભાલોડિયા દ્વારા કુદરતી બક્ષિસ દ્વારા સાંધા, વા, ઘૂંટણ, કમ્મર વિગેરેના દર્દીઓની પોઇન્ટ દ્વારા સારવાર આપવામાં આવેલ અને દર્દીઓને રાહતનો અહેસાસ થયો હતો. ડો.હસ્તીબેન મેહતાએ દર્દીઓને તપાસી ૫૦ થી વધુ દર્દીનું બ્લડ સુગર ટેસ્ટ ફ્રી કરી આપેલ.રશ્મિભાઈ દેસાઈ દ્વારા ત્રણ દિવસની દવા આપવામાં આવેલ જેમા મંદિર દ્રારા સારી વ્યવસ્થા કરવામાં આવી હતી.






Latest News