મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં કોલસા ચોરીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુકત


SHARE













મોરબીના ચકચારી કોલસા ચોરી પ્રકરણમાં બે આરોપીઓને પકડીને જેલ હવાલે કર્યા હતા જે બંને આરોપીના જમીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને આરોપીઓના જામીન કોર્ટે મંજુર કર્યા છે.

આ બનાવની ટુંકમાં હકીકત એવી છે કે તા. ૨૧/૧/૨૦૨૫ ના એલ.સી.બી. મોરબી ધ્વારા જુના સાદુળકા જવાના રસ્તે આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળની સામે એ.બી.સી. મીનરલ્સની બાજુમાં આવેલ પ્લોટમાં રેડ કરવામા આવી હતી અને વાહનો તથા કોલસા વિગેરે મળી ૧,૦૯,૫૫,૦૦૦ ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી ચાર ઈસમોની અટક કરી હતી અને કુલ નવ ઈસમો સામે કોલસા ચોરીની ફરીયાદ આપેલ હતી અને આ કેસમાં પોલીસે આરોપી રમેશ અનસિંહ વસુનીયા અને રાકેશ સવલાભાઈ વસુનીયાની અટકાયત કરી હતી અને કોર્ટ માં રજુ કરતા કોર્ટે બંન્ને આરોપીઓ ને જેલ હવાલે કર્યા હતા ત્યાર બાદ બંન્ને આરોપીઓએ મોરબીના સીનીયર એડવોકેટ મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર મારફત રેગ્યુલર જામીન પર મુક્ત થવા જામીન અરજી પ્રીન્સી. ડીસ્ટ્રીકટ જજ પી. વી. શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં કરી હતી જેમાં આરોપીના વકીલ મનિષ પી. ઓઝાની ધારદાર દલીલ તથા ગુજરાત હાઈકોર્ટના ચુકાદા ધ્યાને લઈ શરતોને આધીન ૨૫,૦૦૦ ના જામીન પર આરોપીઓને મુકત કરવાનો હુકમ કરેલ છે.




Latest News