વાંકાનેરના લુણસર-ચિત્રાખડા રોડ ઉપરથી જીવના જોખમે પસાર થતાં વાહન ચાલકો મોરબીમાં વેપારીઓએ દુકાની બહાર પથરા કરેલા માલ સમાનને કમિશનરની હાજરીમાં જપ્ત કરાયો મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાંથી ડીઝલની ચોરી કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા ચેક રિટર્નના બે કેસમાં વેપારીનો નિર્દોષ છુટકારો મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબીના પીપળી નજીક કારખાનાના કવાર્ટરમાં અજુગતું પગલું ભરી ગયેલ પરિણીતા સારવારમાં મોરબીમાં સગીરોને વાહન આપતા વાલીઓ માટે લાલબતી: બાઇક સ્લીપ થવાથી બે બાળકોને ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ ધામ ખાતે કાર્યરત જલારામ વેવિશાળ માહિતી કેન્દ્રને પ્રથમ સફળતા


SHARE











મોરબીમાં જલારામ ધામ ખાતે કાર્યરત જલારામ વેવિશાળ માહિતી કેન્દ્રને પ્રથમ સફળતા

મોરબીના જલારામ ધામ ખાતે લોહાણા સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે વિનામુલ્યે શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર છેલ્લા ત્રણ સપ્તાહથી દર રવિવારે કાર્યરત કરવામાં આવ્યું છે અને માત્ર ત્રણ સપ્તાહમાં જ પ્રથમ વેવિશાળ સંસ્થાના સંચાલકો હરીશભાઈ રાજા (કાર્યવાહક પ્રમુખ- શ્રી લોહાણા મહાજન-મોરબી) કાશ્મીરાબેન કારીયા, સુનિલભાઈ પુજારા, પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ ગોવાણી તથા નરેન્દ્રભાઈ પાઁઉના પ્રયત્નોથી યોજાયુ છે.

જેની માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, મોરબી નિવાસી સ્વ.પ્રવિણભાઈ જાદવજીભાઈ રાચ્છ તથા ગં.સ્વ.હર્ષાબેન પ્રવિણભાઈ રાચ્છ ની સુપુત્રી ચિ.શ્રધ્ધાનું વેવિશાળ પાટડી નિવાસી પ્રવિણભાઈ તલખશીભાઈ ઠક્કર તથા શીતલબેન પ્રવિણભાઈ ઠક્કર ના સુપુત્ર ચિ.મિહીર સાથે કરવામાં આવેલ છે અને ત્યારે સંસ્થાના સંચાલકો તથા ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, પ્રતાપભાઈ ચગ, નરેન્દ્રભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉલેખનીય છે કે, શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર દર રવિવારે સાંજે ૫ થી ૭ દરમિયાન મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે કાર્યરત હોય છે તેમ સંસ્થાના અગ્રણીઓની યાદીમાં જણાવ્યુ છે.






Latest News