મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી મકનસર પાંજરાપોળ ખાતે કાલે દાતાઓ સહિતનાઓની હાજરીમાં સત્સંગ હોલનું કરાશે ઓપનિંગ


SHARE













મોરબી મકનસર પાંજરાપોળ ખાતે કાલે દાતાઓ સહિતનાઓની હાજરીમાં સત્સંગ હોલનું કરાશે ઓપનિંગ

મોરબીની ધર્મપ્રેમી જનતા અને ઉદ્યોગકારોના સહકારથી આજે મોરબી પાંજરાપોળનો વિકાસ થયો છે અને ગુજરાતની નંબર વન પાંજરાપોળ મોરબીની છે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી તેવામાં કાલે ગૌ દર્શન, જલ દર્શન, વન દર્શન અને સત્સંગ હોલનું ઓપનિંગ રાખવામા આવ્યું છે

મોરબી પાંજરાપોળ દ્વારા લિલાપર, રફાળેશ્વર અને મકનસર ખાતે કુલ મળીને 6200 જેટલા ગૌવંશનો નિભાવ કરવામાં આવી રહ્યો છે અને મકનસર ખાતે આધુનિક સત્સંગ હોલનું ઓપનિંગ કાલે તા 6/10 ના રોજ બપોરે ૩ થી ૬ કલાકે રાખ્યું છે તેની સાથે સત્સંગ સભા પણ રાખવામા આવેલ છે. જેમાં મોરબીના તમામ ધૂન મંડળને આમંત્રિત કરવામાં આવેલ છે. તે ઉપરાંત ગૌસેવાના કામમાં સહયોગ આપતા ઉદ્યોગકારો સહિતના તમામ લોકો અને મોરબીના લોકોને પાંજરાપોળ ખાતે કાર્યક્રમમાં આવવા માટે ટ્રસ્ટી મંડળ ડો.નીતિનભાઈ આર. મહેતા(પ્રમુખ), વેલજીભાઈ ખોડાભાઈ પટેલ (ઉપપ્રમુખ),ભુપતભાઈ ચંદુલાલ દોશી (મંત્રી), કરશનભાઈ કાનજીભાઈ હોથી (પ્રાગજીભાઈ હોથી) (સહમંત્રી) તેમજ ટ્રસ્ટી પ્રવીણભાઈ ઓ. ભલોડિયા, કાંતીભાઈ અમૃતીયા (ધારાસભ્ય), વસરામભાઈ વાલજીભાઈ દેત્રોજા, હિતેશભાઈ કે.ભાવસાર, જયેશભાઈ શાહ, દેવજીભાઈ પટેલ અને નારાણભાઇ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.






Latest News