મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કોરોના કેર સેન્ટર શરૂ કરીને દર્દીઓની સેવા કરનાર સંસ્થાના સંચાલકોના કરાયા સન્માન


SHARE











મોરબી જીલ્લામાં કોરોના કેર સેન્ટર શરૂ કરીને દર્દીઓની સેવા કરનારીસંસ્થાના સંચળકોનું કરાયું સન્માન

 મોરબી જીલ્લામાં કોરોનાની બીજી લહેરમાં ધડોધડ પોઝિટિવ કેસ વધવા લાગ્યા હતા ત્યારે દર્દીઓની સારવાર માટે જુદીજુદી સેવાભાવી સંસ્થાઓ, જુદાજુદા સમાજ અને સંગઠન દ્વાર કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા જેથી કરીને કોરોના સામેની પરિસ્થિતી જે તે સમયે થાળે પડી ગઈ હતી માટે મોરબી જીલ્લામાં કોરોનાની બીજી લહેર સમયે કામ કરનારી  સંસ્થાઓને બિરદાવવા માટે સેવાભાવી સંસ્થાઓનું કલેકટર કચેરીએ કલેક્ટર જે. બી. પટેલ, ડી.ડી.ઓ. પરાગ ભગદેવ, અધિક કલેકટર કેતન જોશી સહિતના અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને જે સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમાં પાટીદાર કોરોના કેર સેન્ટર જોધપર અને પટેલ કન્યા છાત્રાલય, લોહાણા વિદ્યાર્થી ભવન, યંગ ઇન્ડિયા ગ્રુપ, સમસ્ત સતવારા સમાજ, જય અંબે કોવિડ કેર સેન્ટર, સિમ્પોલો ફાઉન્ડેશન, ગેલેક્સી મોમીન કોવિડ કેર સેન્ટર, ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટ, સુન્ની મુસ્લિમ ઝાલાવાડી ઘાંચી, યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ, ઉમિયા સાર્વજનિક સેવા ટ્રસ્ટ, શિયા ઇમામી ઇસ્માઇલી જમાતખાના, સરદાર પટેલ લેઉવા પાટીદાર સમાજ-ટંકારા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, અજયભાઈ લોરીયા, સીરામીક એસોસિએશન અને અજંતા એલપીપી આમ કુલ મળીને ૧૯ સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News