મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કોરોના કેર સેન્ટર શરૂ કરીને દર્દીઓની સેવા કરનાર સંસ્થાના સંચાલકોના કરાયા સન્માન


SHARE







મોરબી જીલ્લામાં કોરોના કેર સેન્ટર શરૂ કરીને દર્દીઓની સેવા કરનારીસંસ્થાના સંચળકોનું કરાયું સન્માન

 મોરબી જીલ્લામાં કોરોનાની બીજી લહેરમાં ધડોધડ પોઝિટિવ કેસ વધવા લાગ્યા હતા ત્યારે દર્દીઓની સારવાર માટે જુદીજુદી સેવાભાવી સંસ્થાઓ, જુદાજુદા સમાજ અને સંગઠન દ્વાર કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા જેથી કરીને કોરોના સામેની પરિસ્થિતી જે તે સમયે થાળે પડી ગઈ હતી માટે મોરબી જીલ્લામાં કોરોનાની બીજી લહેર સમયે કામ કરનારી  સંસ્થાઓને બિરદાવવા માટે સેવાભાવી સંસ્થાઓનું કલેકટર કચેરીએ કલેક્ટર જે. બી. પટેલ, ડી.ડી.ઓ. પરાગ ભગદેવ, અધિક કલેકટર કેતન જોશી સહિતના અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને જે સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમાં પાટીદાર કોરોના કેર સેન્ટર જોધપર અને પટેલ કન્યા છાત્રાલય, લોહાણા વિદ્યાર્થી ભવન, યંગ ઇન્ડિયા ગ્રુપ, સમસ્ત સતવારા સમાજ, જય અંબે કોવિડ કેર સેન્ટર, સિમ્પોલો ફાઉન્ડેશન, ગેલેક્સી મોમીન કોવિડ કેર સેન્ટર, ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટ, સુન્ની મુસ્લિમ ઝાલાવાડી ઘાંચી, યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ, ઉમિયા સાર્વજનિક સેવા ટ્રસ્ટ, શિયા ઇમામી ઇસ્માઇલી જમાતખાના, સરદાર પટેલ લેઉવા પાટીદાર સમાજ-ટંકારા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, અજયભાઈ લોરીયા, સીરામીક એસોસિએશન અને અજંતા એલપીપી આમ કુલ મળીને ૧૯ સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News