માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચતા સિંચાઈની સુવિધા હોય ત્યાં પાણી આપવા સાંસદ મોહનભાઇની રજૂઆત


SHARE















મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચતા સિંચાઈની સુવિધા હોય ત્યાં પાણી આપવા સાંસદ મોહનભાઇની રજૂઆત

મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ પડ્યા પછી વરસાદ ખેચાઈ ગયો છે જેથી કરીને ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે ત્યારે જે વિસ્તારમાં સિંચાઈની સુવિધા હોય અને ત્યાં સ્થાનિક જળાશયોમાં પાણી હોય તો તાત્કાલિક ખેડૂતોને સિચાઈ માટે કેનાલ કે પછી પાઇપ લાઇન મારફતે સિચાઈનું પાણી આપવા માટે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થવાના કારણે ખેડૂતોએ વાવેતર કરી લીધેલ છે પરંતુ હાલ વરસાદ ખેચાવાના કારણે પાક નિષફળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે જે જગ્યાએ સિંચાઈની સુવિધા હોય તેવા ડેમમાંથી કેનાલ મારફતે અને જ્યાં સૌની યોજનાની પાઈપલાઈન અને કેનાલના માધ્યમથી ખેડૂતોને જો સિચાઈનું પાણી આપવામાં આવે તો જેટલો સિંચાઈ હેઠળનો વાવેતર વિસ્તાર છે તે ખેડૂતોનો મોલ બચી શકે તેમ છે એટલા માટે મોરબી જિલ્લાના રહેવાસી અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે તેમણે વધુમાં લખ્યું છે કેસરકાર હંમેશા ખેડૂતોની ચિંતા કરતી હોય છે તેથી કરીને પાણીની તપાસ કરીને તાત્કાલિક યોગ્ય નિર્ણય લઈને સિચાઈ માટે પાણી કેનાલ મારફતે આપવામાં આવે તો શક્ય તેટલા ખેડૂતોને મદદરૂપ થઈ શકાય તેમ છે માટે આ બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય તેમણે ભલામણ કરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News