મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચારનારા બાપને જેલ હવાલે મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી મોરબી નજીક જુદીજુદી બે જગ્યાએ વાહનોમાંથી 970 લિટર ડીઝલની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ મોરબી એબીવીપી દ્વારા 26 મી જાન્યુઆરી નિમિતે ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરાયું વાંકાનેરના વરડુસર ગામે આવેલ શાળામાં 26 મી જાન્યુ.એ 51 દીકરીઓએ કર્યું વૃક્ષા રોપણ મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો: વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
Breaking news
Morbi Today

નિતીમતા : મોરબીના માટેલ ગામે સરકારી શાળાના બે બાળકોને રસ્તા ઉપરથી મળેલા રૂપિયા ૯૦૦૦ આચાર્યને સુપ્રત કર્યા


SHARE











નિતીમતા : મોરબીના માટેલ ગામે સરકારી શાળાના બે બાળકોને રસ્તા ઉપરથી મળેલા રૂપિયા ૯૦૦૦ આચાર્યને સુપ્રત કર્યા

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા માટેલ ગામે માટેલ પે સેન્ટર શાળાના બે વિદ્યાર્થીઓ રોડ ઉપરથી જતા હતા ત્યારે તેઓને રોકડા રૂપિયા ૯૦૦૦ ની થપ્પી મળી હતી.જે રકમ તેઓએ લાલચમાં આવ્યા વગર શાળાના આચાર્યને સુપ્રત કરેલ છે.આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે માટેલ પે સેન્ટર શાળાના વિદ્યાર્થી જીવણ જીતેશભાઈ વિરસોડીયા (ધોરણ ૬) અને બળદેવ રાજુભાઈ સેટાણીયા (ધોરણ ૬) બંને રિસેસમાં શાળાએથી ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેઓને રોકડા રૂપિયા ૯૦૦૦ ની થપ્પી મળી હતી. જેથી લોભ લાલચમાં આવ્યા વગર નીતિમત્તા દાખવીને બંને બાળકોએ આ રકમ માટેલ પે સેન્ટર શાળાના આચાર્ય કિશોરભાઈ પારેલીયાને સુપ્રત કર્યા હતા. જો માટેલ વિસ્તારમાં આ મુજબની કોઈ રકમ કોઈની ગુમ થયેલ હોય તો ખાતરી આપીને મેળવી લેવા યાદીમાં જણાવેલ છે.બાળકોએ નાની ઉંમરમાં દાખવેલ પ્રમાણિકતા બદલ શાળાના આચાર્ય સહિતનાઓએ તેમની પ્રમાણિકતાને બીરદાવી હતી.






Latest News