હળવદના જુના દેવળીયા ગામે યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું મોરબીની પાવડિયારી કેનાલ નજીક ગંદા પાણીની ગટરમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીમાં મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ-નવચંડી યજ્ઞનું આયોજન મોરબીમાં કરોડો રૂપિયાની જમીનમાં ખોટી વારસાઈ એન્ટ્રી મુદ્દે થયેલ અરજીમાં કલેકટરે આપ્યો અરજદાર તરફે સ્ટે માળીયા (મી)ના વવાણીયા ગામે શિકાર કરવા ગયેલા યુવાનની હત્યા કરનારા તેના બે મિત્રોની ધરપકડ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭ મી ફેબ્રુઆરીએ યોજાશે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ રેલવે ભરતી માટે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન મોરબી: મતદાન મથકની વિસ્તારના આસપાસના ૨૦૦ મીટર માટે પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્કૂટરની ડેકીમાંથી ૧.૫૯ લાખની ચોરીના ગુનામાં છારા ગેંગના વધુ એકની ધરપકડ


SHARE













મોરબીમાં સ્કૂટરની ડેકીમાંથી ૧.૫૯ લાખની ચોરીના ગુનામાં છારા ગેંગના વધુ એકની ધરપકડ

મોરબીના નવા ડેલા રોડ ઉપર ઘાંચી શેરીના નાકા પાસે એકટીવા વેપારીએ મૂક્યું હતું જે એકટીવાની ડેકીમાંથી રોકડા ૧.૫૯ લાખની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા વેપારીની ફરિયાદ લઈને પોલીસે આરોપીઓને પકડવામાં તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્ક શેરી નં-૧ માં રહેતા અને મોરબીના તખ્તસિંહજી રોડ ઉપર દુકાન ધરાવતા વેપારી જમનાદાસ સુગારામ ગુવાલાણી જાતે સિંધી (૭૦) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કેગત તા.૫/૪ ના રોજ બપોરે ૩:૩૦ વાગ્યાના અરસામાં મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ઘાંચી શેરીના પાસે તેણે પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ કયું ૫૦૨૨ પાર્ક કરીને મૂક્યું હતું અને ગણતરીની મિનિટોના એકટીવાની ડેકી તોડીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રોકડા રૂપિયા ૧.૫૯ લાખની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ વેપારી દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેના આધારે પોલીસે અગાઉ આ ગુનામાં આરોપી સુજીતભાઈ નારજીભાઈ ઈન્દ્રેકર અને ચેતન ઉર્ફે ચિંટુ વિજયભાઈ ઘમંડે ની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં વધુ એક શખ્સની સંડોવણી સામે આવી હતી જેથી કરીને મોરબી એ ડિવિઝન પોલીસ મથકના મહિલા પીએસઆઇ પી.આર.સોનારા દ્વારા આ કેસમાં લક્ષ્મણ પુંજાભાઈ ગાગડકે (૪૫) રહે. કુબેરનગર છારાનગર નવખોડી અમદાવાદ વાળાની ધરપકડ કરી હતી અને રાબેતા મુજબની આગળની તપાસ હાથ ધરી હતી.

બાળક સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ નાની કેનાલ પાસેની શ્યામ રેસીડેન્સીમાં રહેતા પરિવારનો રામદેવ મનજીભાઈ મીના નામનો ત્રણ વર્ષનો બાળક પગથિયું ભૂલી જતા પી ગયો હતો જે બનાવમાં તે ઇજાગ્રસ્ત થયો હતો.જેથી તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જેથી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા પીનલ ચંદુલાલ વાંસઝાડિયા (ઉમર ૩૧) વાળાઓ બાઈકમાં જતા હતા.ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.આ બનાવમાં તેઓને ઈજાઓ થતા તેને અહિંની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ થતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી








Latest News