મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્કૂટરની ડેકીમાંથી ૧.૫૯ લાખની ચોરીના ગુનામાં છારા ગેંગના વધુ એકની ધરપકડ


SHARE

















મોરબીમાં સ્કૂટરની ડેકીમાંથી ૧.૫૯ લાખની ચોરીના ગુનામાં છારા ગેંગના વધુ એકની ધરપકડ

મોરબીના નવા ડેલા રોડ ઉપર ઘાંચી શેરીના નાકા પાસે એકટીવા વેપારીએ મૂક્યું હતું જે એકટીવાની ડેકીમાંથી રોકડા ૧.૫૯ લાખની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા વેપારીની ફરિયાદ લઈને પોલીસે આરોપીઓને પકડવામાં તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્ક શેરી નં-૧ માં રહેતા અને મોરબીના તખ્તસિંહજી રોડ ઉપર દુકાન ધરાવતા વેપારી જમનાદાસ સુગારામ ગુવાલાણી જાતે સિંધી (૭૦) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કેગત તા.૫/૪ ના રોજ બપોરે ૩:૩૦ વાગ્યાના અરસામાં મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ઘાંચી શેરીના પાસે તેણે પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ કયું ૫૦૨૨ પાર્ક કરીને મૂક્યું હતું અને ગણતરીની મિનિટોના એકટીવાની ડેકી તોડીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રોકડા રૂપિયા ૧.૫૯ લાખની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ વેપારી દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેના આધારે પોલીસે અગાઉ આ ગુનામાં આરોપી સુજીતભાઈ નારજીભાઈ ઈન્દ્રેકર અને ચેતન ઉર્ફે ચિંટુ વિજયભાઈ ઘમંડે ની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં વધુ એક શખ્સની સંડોવણી સામે આવી હતી જેથી કરીને મોરબી એ ડિવિઝન પોલીસ મથકના મહિલા પીએસઆઇ પી.આર.સોનારા દ્વારા આ કેસમાં લક્ષ્મણ પુંજાભાઈ ગાગડકે (૪૫) રહે. કુબેરનગર છારાનગર નવખોડી અમદાવાદ વાળાની ધરપકડ કરી હતી અને રાબેતા મુજબની આગળની તપાસ હાથ ધરી હતી.

બાળક સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ નાની કેનાલ પાસેની શ્યામ રેસીડેન્સીમાં રહેતા પરિવારનો રામદેવ મનજીભાઈ મીના નામનો ત્રણ વર્ષનો બાળક પગથિયું ભૂલી જતા પી ગયો હતો જે બનાવમાં તે ઇજાગ્રસ્ત થયો હતો.જેથી તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જેથી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા પીનલ ચંદુલાલ વાંસઝાડિયા (ઉમર ૩૧) વાળાઓ બાઈકમાં જતા હતા.ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.આ બનાવમાં તેઓને ઈજાઓ થતા તેને અહિંની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ થતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી




Latest News