મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી: કેપેક્સિલના ચેરમેન નિલેષભાઇ જેતપરીયાને સિરામિક એસો.ના પ્રમુખોએ પાઠવી શુભકામના મોરબી જિલ્લામાં કોઠી પીએચસીને NQAS પ્રમાણપત્ર એનાયત માળીયાના મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું મોરબી જીલ્લામાં દારૂ, ડ્રગ્સ, ગાંજો વિગેરે દુષણ ડામવા કોંગ્રેસની માંગ: જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ગેરેજ બરોબર ન ચાલતા આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE















મોરબીમાં ગેરેજ બરોબર ન ચાલતા આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અણધાર્યું પગલું ભર્યું

મોરબીના પીપળી ગામ પાસે આવેલ ત્રિલોક ગામ સોસાયટીમાં રહેતા યુવાનનું રફાળેશ્વર ગામ પાસે બાઈક રીપેરીંગનું ગેરેજ હતું અને ગેરેજ બરોબર ચાલતું ન હોવાથી આર્થિક સંકળામણથી કંટાળીને મનોમન લાગી આવતા તેને પોતાના ઘરની અંદર જ છતમાં લગાવેલ હુક સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મૃતકના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે ત્રિલોક ગામ સોસાયટીના બ્લોક નંબર એચ-૪ માં રહેતા લલિત ઉર્ફે નિલેશ મનુભાઈ મકવાણા જાતે અનુ. જાતિ (૨૫) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર છતમાં હિંચકો લગાવવા માટે લગાવેલ હુકમાં સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આપઘાતના આ બનાવ અંગે મૃતકના પિતા મનુભાઈ આલાભાઇ મકવાણા (૫૧) રહે. ત્રિલોક ગામ સોસાયટી બ્લોક નંબર એચ-૪ વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને રફાળેશ્વર ગામ પાસે બાઇક રીપેરીંગનું ગેરેજ હતું અને ગેરેજ બરાબર ચાલતું ન હોવાથી આર્થિક રીતે સંકળામણ આવી જતા યુવાનને મનોમન લાગી આવ્યું હતું જેથી તેણે પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો આ બનાવ અંગેની તાલુકા પોલીસે નોંધ કરી છે અને આગળની વધુ તપાસ જે.પી. વશિયાણી ચલાવી રહ્યા છે






Latest News