મોરબીના રફાળેશ્વર ગામે ઘરે પડી જવાથી ઇજા પામેલા બાળકનું મોત: માટેલ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારી સબબ બાળકીનું મોત મોરબીના ગાંધી ચોકમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા હળવદના ઇસનપુર ગામે થ્રેસર ઉપર ચડેલા યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લગતા મોત મોરબીના અમરનગર નજીકથી બોલેરોમાં બાંધીને લઈ જવાતી ત્રણ ભેંસને બચાવી: ગુનો નોંધાયો મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકોની જાગૃતિ માટે સેમિનારનું આયોજન મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ ક્રિષ્ના વિદ્યાલયમાં મહિલા જાગૃતિ શીબિર યોજાઈ મોરબીના માળિયા વનાળીયા વિસ્તારમાં છત્રપતિ વીર શિવાજી બાલ સંસ્કાર કેન્દ્રનો પ્રારંભ કરાયો ટંકારામાં ચાલી રહેલ નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ વર્ગમાં  હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ગેરેજ બરોબર ન ચાલતા આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE











મોરબીમાં ગેરેજ બરોબર ન ચાલતા આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અણધાર્યું પગલું ભર્યું

મોરબીના પીપળી ગામ પાસે આવેલ ત્રિલોક ગામ સોસાયટીમાં રહેતા યુવાનનું રફાળેશ્વર ગામ પાસે બાઈક રીપેરીંગનું ગેરેજ હતું અને ગેરેજ બરોબર ચાલતું ન હોવાથી આર્થિક સંકળામણથી કંટાળીને મનોમન લાગી આવતા તેને પોતાના ઘરની અંદર જ છતમાં લગાવેલ હુક સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મૃતકના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે ત્રિલોક ગામ સોસાયટીના બ્લોક નંબર એચ-૪ માં રહેતા લલિત ઉર્ફે નિલેશ મનુભાઈ મકવાણા જાતે અનુ. જાતિ (૨૫) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર છતમાં હિંચકો લગાવવા માટે લગાવેલ હુકમાં સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આપઘાતના આ બનાવ અંગે મૃતકના પિતા મનુભાઈ આલાભાઇ મકવાણા (૫૧) રહે. ત્રિલોક ગામ સોસાયટી બ્લોક નંબર એચ-૪ વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને રફાળેશ્વર ગામ પાસે બાઇક રીપેરીંગનું ગેરેજ હતું અને ગેરેજ બરાબર ચાલતું ન હોવાથી આર્થિક રીતે સંકળામણ આવી જતા યુવાનને મનોમન લાગી આવ્યું હતું જેથી તેણે પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો આ બનાવ અંગેની તાલુકા પોલીસે નોંધ કરી છે અને આગળની વધુ તપાસ જે.પી. વશિયાણી ચલાવી રહ્યા છે








Latest News