મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE





મોરબીમાં વૃદ્ધની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીના રામકૃષ્ણનગરમાં ફોન ઉપર કોઈ બાબતે બોલાચાલી થયા બાદ પાંચ શખ્સો વૃદ્ધાના ઘરે આવ્યા હતા અને તેના દીકરાને પેટના ભાગે મુકા મારીને મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ તેના બીજા દીકરાનું બાઈક સ્લીપ થતા તેને સારવાર માટે લઈ ગયા હતા ત્યાં આવીને બોલાચાલી કરીને ગાળો આપી હતી. તેમજ વૃદ્ધના ઘર પાસે પડેલ તેની ચપ્પલની લારીને સળગાવી નાખી હતી જેમાં વૃદ્ધાના પતિને ધક્કો મારીને નાખી દીધા હતા જેથી તે દાઝી જતાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જે હત્યાના ગુનામાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રામકૃષ્ણનગર જે-૬ માં રહેતા ગૌરીબેન મનુભાઈ ડુંગરા જાતે કોળી (૬૦) નામના વૃદ્ધાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને વેલાભાઇ રાવળજયુભા દરબાર અને અજાણ્યા ત્રણ શખ્સો આમ કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કેતેના દીકરા નવઘણ સાથે વેલાભાઇ અને જયુભાને ફોન ઉપર કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જેથી તે બંને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ત્યાં તેમના દીકરા નવઘણને પેટના ભાગે મુકા મારીને મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ ફરિયાદીનો બીજો દીકરો કાળુ મનુભાઇ ડુંગરી બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા તેને ઇજા થયેલ હોવાથી સારવાર માટે લઈને ગયા હતા ત્યારે જઈને આરોપીઓએ બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ફરિયાદીને કહ્યું હતું કે “તારા ઘરે જઈને જોઈ લેજે” જેથી વૃદ્ધાએ ઘરે જઈને જોતાં તેના ઘર પાસે રાખવામા આવેલ ચપ્પલની લારીને આગ ચાંપી દીધી હતી અને તેના પતિ મનુભાઈ ખોડાભાઈ ડુંગરા જાતે કોળીને તે સળગતી લારીમાં ધક્કો મારીને નાખી દીધા હતા જેથી કરીને હાથે અને પગે તે દાઝી ગયા હતા જેથી તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન મનુભાઇ ડુંગરાનું મોત નીપજયું હતુ

જેથી કરીને મારા મારીની ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને હત્યાના આ ગુનામાં કુલ મળીને ચાર આરોપીને અગાઉ પકડવામાં આવ્યા હતા જેમાં શનીભાઇ ઉર્ફે વેલાભાઇ રમેશભાઈ લાલુકીયા, જયદેવસિંહ ઉર્ફે જયુભા પંચાણજી ઝાલા, વિમલભાઇ નટૂભાઇ કામળીયા અને સંદીપભાઇ રાજેશભાઈ બોડાનો સમાવેશ થતો હતો અને હાલમાં આ ગુનામાં તપાસનીસ અધિકારી દ્વારા આરોપી અનિરુદ્ધસિંહ ઉર્ફે અશોકસિંહ ઉર્ફે બબુભા બહાદુરસિંહ ઝાલા (૨૯) રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી વેજીટેબલ રોડ મોરબી વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

દવાની ટીકડીઓ પી જતાં સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામથી આગળના ભાગમાં આવેલ આઈટીઆઈ નજીક ઓમકાર પ્લાસ્ટિક ખાતે રહેતા થાવરા અમૃતભાઈ પારઘી (૩૦) નામનો યુવાન દવાની ટીકડીઓ ખાઈ ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા રમેશભાઈ પેથાભાઇ પરમાર નામના વ્યક્તિ મોરબીના નાનીવાવડી ગામ પાસે આવેલ રામેશ્વર પેટ્રોલ પંપ પાસે હતા ત્યારે ત્યાં અકસ્માતના બનાવમાં તેને ઇજાઓ થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે




Latest News