મોરબીના આલાપ રોડે ઘર પાસે બેઠેલા વૃદ્ધાના ગળામાંથી એક લાખની કિંમતના સોનાના ચેનની ચીલઝડપ
મોરબીમાં વૃદ્ધની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
SHARE






મોરબીમાં વૃદ્ધની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબીના રામકૃષ્ણનગરમાં ફોન ઉપર કોઈ બાબતે બોલાચાલી થયા બાદ પાંચ શખ્સો વૃદ્ધાના ઘરે આવ્યા હતા અને તેના દીકરાને પેટના ભાગે મુકા મારીને મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ તેના બીજા દીકરાનું બાઈક સ્લીપ થતા તેને સારવાર માટે લઈ ગયા હતા ત્યાં આવીને બોલાચાલી કરીને ગાળો આપી હતી. તેમજ વૃદ્ધના ઘર પાસે પડેલ તેની ચપ્પલની લારીને સળગાવી નાખી હતી જેમાં વૃદ્ધાના પતિને ધક્કો મારીને નાખી દીધા હતા જેથી તે દાઝી જતાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જે હત્યાના ગુનામાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રામકૃષ્ણનગર જે-૬ માં રહેતા ગૌરીબેન મનુભાઈ ડુંગરા જાતે કોળી (૬૦) નામના વૃદ્ધાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને વેલાભાઇ રાવળ, જયુભા દરબાર અને અજાણ્યા ત્રણ શખ્સો આમ કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, તેના દીકરા નવઘણ સાથે વેલાભાઇ અને જયુભાને ફોન ઉપર કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જેથી તે બંને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ત્યાં તેમના દીકરા નવઘણને પેટના ભાગે મુકા મારીને મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ ફરિયાદીનો બીજો દીકરો કાળુ મનુભાઇ ડુંગરી બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા તેને ઇજા થયેલ હોવાથી સારવાર માટે લઈને ગયા હતા ત્યારે જઈને આરોપીઓએ બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ફરિયાદીને કહ્યું હતું કે “તારા ઘરે જઈને જોઈ લેજે” જેથી વૃદ્ધાએ ઘરે જઈને જોતાં તેના ઘર પાસે રાખવામા આવેલ ચપ્પલની લારીને આગ ચાંપી દીધી હતી અને તેના પતિ મનુભાઈ ખોડાભાઈ ડુંગરા જાતે કોળીને તે સળગતી લારીમાં ધક્કો મારીને નાખી દીધા હતા જેથી કરીને હાથે અને પગે તે દાઝી ગયા હતા જેથી તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન મનુભાઇ ડુંગરાનું મોત નીપજયું હતુ
જેથી કરીને મારા મારીની ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને હત્યાના આ ગુનામાં કુલ મળીને ચાર આરોપીને અગાઉ પકડવામાં આવ્યા હતા જેમાં શનીભાઇ ઉર્ફે વેલાભાઇ રમેશભાઈ લાલુકીયા, જયદેવસિંહ ઉર્ફે જયુભા પંચાણજી ઝાલા, વિમલભાઇ નટૂભાઇ કામળીયા અને સંદીપભાઇ રાજેશભાઈ બોડાનો સમાવેશ થતો હતો અને હાલમાં આ ગુનામાં તપાસનીસ અધિકારી દ્વારા આરોપી અનિરુદ્ધસિંહ ઉર્ફે અશોકસિંહ ઉર્ફે બબુભા બહાદુરસિંહ ઝાલા (૨૯) રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી વેજીટેબલ રોડ મોરબી વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે
દવાની ટીકડીઓ પી જતાં સારવારમાં
મોરબીના મહેન્દ્રનગર ગામથી આગળના ભાગમાં આવેલ આઈટીઆઈ નજીક ઓમકાર પ્લાસ્ટિક ખાતે રહેતા થાવરા અમૃતભાઈ પારઘી (૩૦) નામનો યુવાન દવાની ટીકડીઓ ખાઈ ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા રમેશભાઈ પેથાભાઇ પરમાર નામના વ્યક્તિ મોરબીના નાનીવાવડી ગામ પાસે આવેલ રામેશ્વર પેટ્રોલ પંપ પાસે હતા ત્યારે ત્યાં અકસ્માતના બનાવમાં તેને ઇજાઓ થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે


