મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનારા રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19થી વધુ લોકોએ મારમાર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબીના જસાપર ગામનો બનાવ : મકાનની અગાસીએ પાણી છાંટતા સમયે પડી જતા આધેડ મહિલાનું મોત


SHARE

















મોરબીના જસાપર ગામનો બનાવ : મકાનની અગાસીએ પાણી છાંટતા સમયે પડી જતા આધેડ મહિલાનું મોત

મોરબી જીલ્લાના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા જસાપર ગામે અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં આધેડ મહિલા ઊંચાઇએથી નિચે પડી જતા તેણીનું મોત નિપજયુ હોવાનું સામે આવેલ છે.પોલીસના જણાવ્યા પ્રમાણે માળિયાના જસાપર ગામે અગાસીએ મકાનનું બાંધકામનું કામ ચાલતું હોય અને પાણી છાંટવા માટે ઉપર ચડે મહિલા ઊંચાઈએથી નીચે પડી ગયા હતા.જેથી કરીને તેઓનું મોત નીપજ્યું હતું.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસસુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા મીંયાણા તાલુકાના જસાપર ગામે રહેતા દિવાળીબેન ચંદુભાઈ બોરીચા નામના ૫૫ વર્ષીય આધેડ મહિલાના ઘરે મકાનનું બાંધકામનું કામકાજ ચાલુ હોય તેઓ ઘરની અગાસી ઉપર મકાનના કામમાં પાણી છાંટવા માટે ચડ્યા હતા.તે દરમિયાનમાં તેઓ અકસ્માતે નીચે પડી ગયા હતા.જેથી ઇજાઓ થવાથી તેમને બેભાન હાલતમાં અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.જોકે અહીં ડોક્ટરે જોઈ તપાસીને દિવાળીબેનને મૃત જાહેર કર્યા હતા અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરેલ હોય એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી.જોકે આ બનાવ માળિયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બનેલો હોવાથી આગળની તપાસ માટે માળીયા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

રવાપર ગામે આગ લાગવાથી નુકસાની

મોરબીના રવાપર ગામે કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે સોહમભાઈ અમિતભાઈ ગોહેલ (૨૮) રહે.શિવમ હાઈટ મહાબલિ હનુમાન મંદિર પાસે રવાપર તા.જી.મોરબી વાળાએ આવીને જાહેર કર્યું હતું કે, તેઓની કારમાં રવાપર ગામ નજીક આગ લાગી હતી.જેથી કરીને આગના આ બનાવમાં કારમાં નુકસાની થવા પામી છે.પોલીસે હાલ આ બાબતે જાણવા જોગ દાખલ કરી હતી અને આ કેસની આગળની તપાસ પ્રભાતભાઈ ચાવડા ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા ગામે રહેતા કમલેશભાઈ નીમાભાઇ વાસુનિયા નામના ૨૫ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.આ બાબતે પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીન શનાળા રોડ એસાર પંપ પાસેથી તે બાઈક લઈને જતો હતો.ત્યારે રસ્તામાં તે બાઈકમાંથી નીચે પડી જતા ઈજા પામતા તેને સારવારમાં ખસેડાયો હતો.હાલ એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા આ બનાવ સંદર્ભે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા તનવીર અબ્દુલભાઈ ડોસાણી નામના ૧૭ વર્ષના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરીને મારામારીના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી




Latest News