મોરબીમાં રાત્રિ દરમિયાન સગીરાનું અપહરણ: પોકસો, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીની એલ.ઇ. અને અમદાવાદની એલ. ડી. કોલેજનું ૧૦ કરોડના ખર્ચે હેરિટેજ રિસ્ટોરેશન કરાશે મોરબીના રફાળેશ્વર નજીક આવેલ પેપર મીલમાં રહેતો યુવાન એસિડ પી જતાં સારવારમાં મોરબીના જેતપર ગામે અજાણી કાર ચાલકે ધૂળેટી રમતા બાળકને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં આજે બે સ્મશાન ગૃહમાં નવી ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી-નવા પ્રાર્થના હોલનું ધારાસભ્ય લોકાર્પણ કરશે મોરબીમાં શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા કાલે પ્રથમ સમુહલગ્નનું આયોજન: ૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે  મોરબીના બંધુનગર ગામની શાળાના શિક્ષકે જન્મ દિવસની કરી પ્રેરણાદાયી ઉજવણી ટંકારાના લજાઈ નજીક કોમ્પલેક્ષની છત ઉપરથી દારૂની 192 બોટલ રેઢી મળી !: બુટલેગરની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના જસાપર ગામનો બનાવ : મકાનની અગાસીએ પાણી છાંટતા સમયે પડી જતા આધેડ મહિલાનું મોત


SHARE











મોરબીના જસાપર ગામનો બનાવ : મકાનની અગાસીએ પાણી છાંટતા સમયે પડી જતા આધેડ મહિલાનું મોત

મોરબી જીલ્લાના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા જસાપર ગામે અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં આધેડ મહિલા ઊંચાઇએથી નિચે પડી જતા તેણીનું મોત નિપજયુ હોવાનું સામે આવેલ છે.પોલીસના જણાવ્યા પ્રમાણે માળિયાના જસાપર ગામે અગાસીએ મકાનનું બાંધકામનું કામ ચાલતું હોય અને પાણી છાંટવા માટે ઉપર ચડે મહિલા ઊંચાઈએથી નીચે પડી ગયા હતા.જેથી કરીને તેઓનું મોત નીપજ્યું હતું.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસસુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા મીંયાણા તાલુકાના જસાપર ગામે રહેતા દિવાળીબેન ચંદુભાઈ બોરીચા નામના ૫૫ વર્ષીય આધેડ મહિલાના ઘરે મકાનનું બાંધકામનું કામકાજ ચાલુ હોય તેઓ ઘરની અગાસી ઉપર મકાનના કામમાં પાણી છાંટવા માટે ચડ્યા હતા.તે દરમિયાનમાં તેઓ અકસ્માતે નીચે પડી ગયા હતા.જેથી ઇજાઓ થવાથી તેમને બેભાન હાલતમાં અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.જોકે અહીં ડોક્ટરે જોઈ તપાસીને દિવાળીબેનને મૃત જાહેર કર્યા હતા અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરેલ હોય એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી.જોકે આ બનાવ માળિયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બનેલો હોવાથી આગળની તપાસ માટે માળીયા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

રવાપર ગામે આગ લાગવાથી નુકસાની

મોરબીના રવાપર ગામે કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે સોહમભાઈ અમિતભાઈ ગોહેલ (૨૮) રહે.શિવમ હાઈટ મહાબલિ હનુમાન મંદિર પાસે રવાપર તા.જી.મોરબી વાળાએ આવીને જાહેર કર્યું હતું કે, તેઓની કારમાં રવાપર ગામ નજીક આગ લાગી હતી.જેથી કરીને આગના આ બનાવમાં કારમાં નુકસાની થવા પામી છે.પોલીસે હાલ આ બાબતે જાણવા જોગ દાખલ કરી હતી અને આ કેસની આગળની તપાસ પ્રભાતભાઈ ચાવડા ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા ગામે રહેતા કમલેશભાઈ નીમાભાઇ વાસુનિયા નામના ૨૫ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.આ બાબતે પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીન શનાળા રોડ એસાર પંપ પાસેથી તે બાઈક લઈને જતો હતો.ત્યારે રસ્તામાં તે બાઈકમાંથી નીચે પડી જતા ઈજા પામતા તેને સારવારમાં ખસેડાયો હતો.હાલ એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા આ બનાવ સંદર્ભે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા તનવીર અબ્દુલભાઈ ડોસાણી નામના ૧૭ વર્ષના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરીને મારામારીના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી








Latest News