મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મતદાન મતદાન મથકમાં બિનઅધિકૃત વ્યક્તિઓની પ્રવેશબંધી


SHARE













મોરબી જીલ્લામાં મતદાન મતદાન મથકમાં બિનઅધિકૃત વ્યક્તિઓની પ્રવેશબંધી

મોરબી જિલ્લામાં આગામી તા.૭ ના રોજ યોજાનાર મતદાન સંપૂર્ણ શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય, મતદાન મથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન થઈ શકે તે માટે મતદાન મથકમાં બિનઅધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ અટકાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર મતદાન મથકમાં મતદાન અધિકારીઓ, હરીફ ઉમેદવાર તેનો ચૂંટણી એજન્ટ અને દરેક ઉમેદવારના એકી વખતે એક મતદાર એજન્ટ કે જેઓ સક્ષમ અધિકારીએ આપેલ ઓળખપત્ર ધરાવતા હોવા જોઈએ, ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યકિતઓ કે જેઓ સક્ષમ અધિકારીએ ઈસ્યુ કરેલ પ્રવેશ પાસ ધરાવતા હોય, ચૂંટણી ફરજ પરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ, ચૂંટણી પંચે નિયુક્ત કરેલ નિરિક્ષકો, માઈક્રો ઓબ્ઝવર્સ, વીડીયોગ્રાફર્સ, ફોટોગ્રાફર્સ, અગત્યના સંવેદનશીલ મતદાન મથકોની બાબતમાં વેબકાસ્ટીંગ માટેનો કર્મચારી વર્ગ (મતદાનની ગુપ્તતાનો ભંગ ન થાય તે રીતે વીડીયોગ્રાફી કરવાની રહેશે.), સબંધિત મતદાન મથકે નોંધાયેલ મતદાર ચૂંટણી પંચે ઠરાવેલ ઓળખના પુરાવા સાથે માત્ર મતદાનના હેતુ માટે દાખલ થઈ શકશે. મતદારે તેડયું હોય તે બાળક, કોઈની મદદ વગર હરી ફરી શકે તેમ ન હોય તેવા અંધ કે અશક્ત મતદારની સાથે આવતી વ્યકિત, મતદારોને ઓળખી બતાવવા કે મતદાનના કાર્યમાં તેમને બીજી કોઈ રીતે મદદ કરવા માટે પ્રમુખ મતદાન અધિકારીએ નિયુક્ત કરેલ વ્યકિત કોઈ હોય તો તે વ્યક્તિઓ સિવાયના કોઈ પણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમ તા.૦૭/૦૫/૨૦૨૪ ના દિવસ માટે અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબની શિક્ષાને પાત્ર થશે.




Latest News