મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની નવયુગ કોલેજનું ધમાકેદાર પરિણામ


SHARE













સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની નવયુગ કોલેજનું ધમાકેદાર પરિણામ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી.બી.એ.સેમેસ્ટર-૬ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની નવયુગ બી.બી.એ કોલેજનું ધમાકેદાર પરિણામ આવ્યું હતું. 

નવયુગ બી.બી.એ કોલેજની વિદ્યાર્થીની અરણિયા કૃપાલી ૭૯.૭૧ ટકા, સાથે કોલેજમાં પ્રથમ નંબર મેળવ્યો છે. બીજા નંબરે પાંચોટીયા પ્રિયાંશી ૭૭.૧૪ ટકા અને ત્રીજા નંબરે ભાલોડીયા મનસ્વી ૭૬.૭૧ ટકા માર્ક્સ મેળવી બીબીએ વિભાગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા જિલ્લા કક્ષાએ મેનેજમેન્ટ કોલેજનો દબદબો જાળવી રાખી કોલેજનું ગૌરવ વધાર્યું છે.તમામ વિદ્યાર્થીને સંસ્થાનાં પ્રમુખ પી. ડી.કાંજીયા તેમજ કોલેજના પ્રિન્સિપાલ નિલેશભાઈ મીરાણી તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

મોરબી જલારામ મંદિર ખાતે આવતી કાલે વડીલ વંદના કાર્યક્રમ યોજાશે

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આવતીકાલ તા.૨૬-૫ ને રવિવારના રોજ સવારે ૮ કલાકે વડીલ વંદના કાર્યક્રમ યોજાશે. જેમાં વૃધ્ધાશ્રમના વડીલો ઉપરાંત સર્વજ્ઞાતિય વડીલોનુ શ્રી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓ દ્વારા અભિવાદન કરવામાં આવશે. ઉપસ્થિત દરેક વડીલો તેમજ મહાનુભવો માટે ગરમા ગરમ ગાંઠીયા જલેબીના અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. મોરબીમાં રહેતા દરેક સિનિયર સિટીઝન્સને ઉપસ્થિત રહેવા ભાવભર્યુ નિમંત્રણ છે.




Latest News