હળવદના ચરાડવા ગામે રાજલનગરમાં ઘરમાંથી દારૂની ૮૫ બોટલ સાથે આરોપીની ધરપકડ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની નવયુગ કોલેજનું ધમાકેદાર પરિણામ
SHARE









સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની નવયુગ કોલેજનું ધમાકેદાર પરિણામ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી.બી.એ.સેમેસ્ટર-૬ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની નવયુગ બી.બી.એ કોલેજનું ધમાકેદાર પરિણામ આવ્યું હતું.
નવયુગ બી.બી.એ કોલેજની વિદ્યાર્થીની અરણિયા કૃપાલી ૭૯.૭૧ ટકા, સાથે કોલેજમાં પ્રથમ નંબર મેળવ્યો છે. બીજા નંબરે પાંચોટીયા પ્રિયાંશી ૭૭.૧૪ ટકા અને ત્રીજા નંબરે ભાલોડીયા મનસ્વી ૭૬.૭૧ ટકા માર્ક્સ મેળવી બીબીએ વિભાગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા જિલ્લા કક્ષાએ મેનેજમેન્ટ કોલેજનો દબદબો જાળવી રાખી કોલેજનું ગૌરવ વધાર્યું છે.તમામ વિદ્યાર્થીને સંસ્થાનાં પ્રમુખ પી. ડી.કાંજીયા તેમજ કોલેજના પ્રિન્સિપાલ નિલેશભાઈ મીરાણી તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
મોરબી જલારામ મંદિર ખાતે આવતી કાલે વડીલ વંદના કાર્યક્રમ યોજાશે
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આવતીકાલ તા.૨૬-૫ ને રવિવારના રોજ સવારે ૮ કલાકે વડીલ વંદના કાર્યક્રમ યોજાશે. જેમાં વૃધ્ધાશ્રમના વડીલો ઉપરાંત સર્વજ્ઞાતિય વડીલોનુ શ્રી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓ દ્વારા અભિવાદન કરવામાં આવશે. ઉપસ્થિત દરેક વડીલો તેમજ મહાનુભવો માટે ગરમા ગરમ ગાંઠીયા જલેબીના અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. મોરબીમાં રહેતા દરેક સિનિયર સિટીઝન્સને ઉપસ્થિત રહેવા ભાવભર્યુ નિમંત્રણ છે.
