મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના સાપકડા ગામે વાડીએ ઝેરી જીવજંતુ કરડી જતાં સાત વર્ષના બાળકનું મોત


SHARE







હળવદના સાપકડા ગામે વાડીએ ઝેરી જીવજંતુ કરડી જતાં સાત વર્ષના બાળકનું મોત

હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના સાત વર્ષના બાળકને કોઈ ઝેરી જીવજંતુ કરડી ગયું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ફરજ પરના ડોક્ટર તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના બજરંગગઢના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના સાપકડા ગામે સુરેશગીરી મનહરગીરીની વાડીએ રહીને મજૂરી કામ કરતા અમરભાઇ ચેતનભાઇ કાંડરા આદીવાસીના સાત વર્ષના બાળક સુમિતને વાડીએ રમતો હતો દરમિયાન કોઈ ઝેરી જીવજંતુ તેને કરડી જતા તેને તાત્કાલિક સારવાર માટે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ફરજ પરના ડોક્ટર તે બાળકને જોઈ ત્પાસીને મૃત જાહેર કર્યો હતો અને હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને બનાવની જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ રાજેશકુમાર રણવીરસિંહ શર્મા (૨૪) નામના યુવાનને ત્યાં કારખાનામાં થયેલ મારા મારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા ત્યા તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.બી.પરમાર દ્વારા કરવામાં આવી હતી.

દવા પી લેતા સારવારમાં

મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલ શિવ ગંગા સોસાયટીમાં રહેતા સરલાબેન મૂળજીભાઈ વાળા (૪૯) નામના મહિલાએ કોઈ કારણોસર દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવેલ છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા છે.






Latest News